ભારતીય અને ચીની સૈન્ય વચ્ચે હિંસક અથડામણ અને તણાવ વચ્ચે, ભારતીય વાયુસેનાનાં વડા, એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરીયાએ શનિવારે કહ્યું હતું કે, ભારત શાંતિ સ્થાપવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે પરંતુ ગલવાન ખીણમાં આપવામાં આવેલ “બલિદાન” નિરર્થક જવા નહીં દઇએ.
પૂર્વ લદ્દાખમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલા હિંસક ઝઘડામાં વાયુસેનાનાં વડાએ સોમવારે કહ્યું કે, “ખૂબ જ પડકારજનક પરિસ્થિતિઓમાં શૌર્યપૂર્ણ કાર્યવાહીએ કોઈપણ કિંમતે ભારતની સાર્વભૌમત્વની સુરક્ષા કરવાની અમારી પ્રતિબદ્ધતા દર્શાવી છે.” ભારત અને ચીન સૈન્ય વચ્ચેનાં ઝઘડામાં આપણા 20 સૈનિકોએ દેશ માટે પોતાનો બલિદાન આપ્યો હતો. ભારતીય સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. વળી, સુત્રોએ જણાવ્યું હતું કે આ અથડામણમાં 40 ચીની સૈનિકો મૃત્યુ પામ્યા છે અથવા ઘાયલ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.