![આંધ્રપ્રદેશ/ કોરોનાથી દર્દીનાં મોત બાદ શવને જેસીબીથી લઇ જવામાં આવ્યું સ્મશાનઘાટ 3 d72b303f47a1aeb2a9d464ab25a0d28c આંધ્રપ્રદેશ/ કોરોનાથી દર્દીનાં મોત બાદ શવને જેસીબીથી લઇ જવામાં આવ્યું સ્મશાનઘાટ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/d72b303f47a1aeb2a9d464ab25a0d28c.jpg)
આંધ્રપ્રદેશમાં 72 વર્ષીય એક કોરોનોવાયરસ દર્દીનાં મોત પછી, તેમના શવને ઘરથી સ્મશાન લઇ જવા માટે નગર નિગમનાં કર્મચારીઓએ જેસીબી મશીનનો ઉપયોગ કર્યો હતો. મામલો પ્રકાશમાં આવ્યા બાદ કોર્પોરેશનોનાં બે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે, કોવિડ-19 નાં ડોર ટુ ડોર હેલ્થ સર્વે દરમિયાન મ્યુનિસિપલ કોર્પોરેશનનાં ભૂતપૂર્વ કર્મચારીને કોરોના ટેસ્ટ પોઝિટિવ મળ્યો. ત્યારબાદ તેમનુ આંધ્રપ્રદેશનાં શ્રીકાકુલમ જિલ્લાનાં પલાસા શહેરમાં આવેલા તેમના ઘરે મૃત્યુ થયું હતું. આ વ્યક્તિનાં મોત બાદ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એવું જોવા મળી રહ્યું છે કે કોર્પોરેશનનાં કર્મચારીઓ પી.પી.ઇ કીટ પહેરીને લાશને જેસીબી મશીન દ્વારા કબ્રસ્તાનમાં લઈ જતા હોય છે.
#WATCH Andhra Pradesh: Body of a 70-year-old person who died of #COVID19 being disposed of using a proclainer by Palasa municipal authorities in Srikakulam yesterday.
Palasa Municipal Commissioner & Sanitary Inspector have been suspended, says Srikakulam District Collector. pic.twitter.com/NCcMrxtRmL
— ANI (@ANI) June 27, 2020