શનિવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમ સ્ટર્લિંગ બાયોટેક લિમિટેડ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ મામલાની તપાસ માટે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અહેમદ પટેલનાં દિલ્હી નિવાસ સ્થાને પહોંચી હતી.
આ કેસમાં નિવેદન નોંધવા એજન્સી પટેલનાં ઘરે ગઈ હતી. તેમને અગાઉ પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ નેતાએ ત્યારે કોવિડ-19 માર્ગદર્શિકાને ટાંકી અને પહોંચવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી. આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસની મહામારીથી પોતાને બચવવા માટે 65 વર્ષથી વધુ ઉંમરનાં નાગરિકો માટે ઘર પર રહેવાની સલાહી જારી કરી હતી. એવો આરોપ છે કે સ્ટર્લિંગ બાયોટેકે આંધ્ર બેંકની આગેવાની હેઠળનાં કન્સોર્ટિયમ પાસેથી 5000 કરોડ રૂપિયાથી વધુની લોન લીધી છે, જે બિન-પરફોર્મિંગ સંપત્તિમાં ફેરવાઈ ગયુ છે. કથિત લેણુ ડિફોલ્ટની કુલ રકમ રૂ.8,100 કરોડ હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.