વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત‘ દ્વારા કોરોના વાયરસનાં વધતા જતા કેસો વચ્ચે દેશને સંબોધન કરી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત‘ કાર્યક્રમમાં કહ્યું કે, લોકો કહી રહ્યા છે કે આ વર્ષ સારું નથી. પરંતુ હું કહું છું કે એક પડકાર આવે કે 50 વર્ષ ક્યારેય ખરાબ હોતું નથી.
લદ્દાખ વિવાદ અંગે પીએમ મોદીએ કહ્યું કે ,ભારત મિત્રતા જાળવવાની સાથે સાથે યોગ્ય જવાબો આપવાનું પણ જાણે છે. પીએમ મોદીએ અમ્ફાન તોફાનને લઇને કહ્યું, ‘થોડા દિવસો પહેલા ચક્રવાત અમ્ફાન દેશનાં પૂર્વ છેડે આવ્યો હતો, અને પશ્ચિમ છેડે સાઇક્લોન નિસર્ગ આવ્યો હતો. ઘણા રાજ્યોમાં, આપણા ખેડૂત ભાઈ-બહેન તીડનાં હુમલાથી પરેશાન છે અને જો બીજું કંઇ નહીં, તો દેશનાં ઘણા ભાગોમાં નાના ભૂકંપ બંધ થવાનું નામ નથી લઇ રહ્યા. આ બધાની વચ્ચે, દેશ આપણા કેટલાક પડોશીઓ દ્વારા આવી રહેલા પડકારોનો પણ સામનો કરી રહ્યો છે. ખરેખર, આ સ્તરની એક સાથે આપત્તિઓ, ભાગ્યે જ જોવા મળે છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં મોટા-મોટા સંકટો આવતા રહ્યા છે, ત્યારે તમામ અવરોધોને દૂર કરતા ઘણા સૃજન પણ થયેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.