Not Set/ મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે અત્યાર સુધી 90 હજારથી વધુનાં મોત

કોરોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો .મહારાષ્ટ્માં 601 નાં મોત

India
corona piiiiiic મહારાષ્ટ્રમાં કોરોનાના લીધે અત્યાર સુધી 90 હજારથી વધુનાં મોત

કોરોનાની બીજ લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે પરતું હવે દેશમાં કોરોનાના નવા કેસોમાં નોધપાત્ર ઘટાડો થઇ રહ્યો છે કોરનાના રિકવરી કેસો વધી રહ્યા છે.મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 24,136 કેસો મળી આવ્યા છે અને601 લોકોના મોત થયાં છે.

દેશમાં છેલ્લા 20 દિવસથી કોરોના સંક્રમણના કેસો ઘટી રહ્યા છે ,અને રિકવરીના કેસોમાં વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રમાં કોરોના કેસોમાં ઘટોડો નોંધાઇ રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 24136 કેસો સામે આવ્યા છે.રાજ્યમાં કુલ સંક્રમણના કેસો 52,18768 થયા છે. અકટિવ કેસોની સંખ્યા 3,14,368 છે.આ દર્દીઓની સારવાર હોસ્પિટલ અને ઘરમાં થઇ રહી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 601નાં મોત થયાં છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા કુલ 90,349 થઇ છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં લોકડાઉનની સ્થિતિ જડબેસલાક છે જેના લીધે કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસો સામે રિકવરીના કેસો વધી રહ્યો છે.