![મેઘાલયમાં આજે એકવાર ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી... 3 99a7943efa8ed734bbb2b3d37934984c મેઘાલયમાં આજે એકવાર ફરી ભૂકંપનાં આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા રહી...](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/06/99a7943efa8ed734bbb2b3d37934984c.jpg)
મેઘાલયનાં તુરા શહેર નજીક રવિવારે બપોરે ધરતીકંપનાં આંચકા અનુભવાયા છે. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.9 નોંધાઈ છે. મળી રહેલી માહિતી અનુસાર આ ભૂકંપથી જાન-માલનું કોઇ નુકસાન થયુ નથી.
રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર, મેઘાલયમાં તુરા નજીક આજે બપોરે 12.24 વાગ્યે રિક્ટર સ્કેલ પર 3.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાને કારણે, કોઈપણ પ્રકારનાં નુકસાનની સંભાવના નહિવત્ છે. જોકે, ભૂકંપનાં કારણે ધરતીમાં કંપન થવા લાગી હતી, લોકો તેમના ઘરની બહાર નીકળી ગયા હતા.
Earthquake of magnitude 3.9 on the Richter scale struck near Tura in Meghalaya at 1224 hours today: National Center for Seismology
— ANI (@ANI) June 28, 2020