દેશની તમામ યુનિવર્સિટીમાં પરીક્ષા યોજાય તેવા સંકેત સામે આવી રહ્યા છે. યુનિવર્સિટીમાં પરીક્ષાઓ માટે કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી આવી ગઇ છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયની મંજૂરી પ્રમાણે યુનિવર્સિટીઓમાં અંતિમ વર્ષની પરીક્ષા લેવાશે. પરીક્ષા દરમિયાન સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાની શરતે આ મંજૂરી આપી હોવાની વિગતો વિદિત છે. તો સાથે સાથે તમામ યુનિવર્સિટીઓએ UGCના નિયમોને આધીન પરીક્ષા લેવાની રહેશે. દેશનાં લાખો યુવાનોનાં ભાવી વિશેનો મહત્વનો નિર્ણય કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા જાહેર કરવા પછળ યુવાઓનું બહમુલ્ય વર્ષ અને અભ્યાસ બગડે નહી તેવો હોવાનુ વિદિત છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….