Breaking News/ CAA નોટિફિકેશન જાહેર, બિન-મુસ્લિમ શરણાર્થીઓને હવે મળશે નાગરિકતા

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે CAAનું નોટિફિકેશન બહાર પાડ્યું છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 03 11T181835.957 CAA નોટિફિકેશન જાહેર, બિન-મુસ્લિમ શરણાર્થીઓને હવે મળશે નાગરિકતા

લોકસભા ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારે CAAનું નોટિફિકેશન બહાર પાડ્યું છે. હવે 2014 પહેલા પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ભારતમાં આવેલા બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા મળવાનું શરૂ થઈ જશે. CAAના નવા કાયદા હેઠળ, મોદી સરકાર હવે 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે.

નિયમો હેઠળ કોને મળશે નાગરિકતા?

નવા CAA કાયદા હેઠળ, મોદી સરકાર 31 ડિસેમ્બર, 2014 સુધી બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુઓ, શીખ, જૈન, બૌદ્ધ, પારસી અને ખ્રિસ્તીઓ – અત્યાચાર ગુજારાયેલા બિન-મુસ્લિમ સ્થળાંતરીઓને ભારતીય નાગરિકત્વ આપવાનું શરૂ કરશે. ઉલ્લેખનીય છે કે CAA ડિસેમ્બર 2019માં પસાર કરવામાં આવ્યું હતું અને તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી હતી અને આજે તેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને તેને દેશભરમાં લાગુ કરવામાં આવ્યું છે.

ગૃહ મંત્રાલયે પોર્ટલ તૈયાર કર્યું

ગૃહ મંત્રાલયે અરજદારોની સુવિધા માટે એક પોર્ટલ તૈયાર કર્યું છે અને સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન હશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, અરજદારોએ ટ્રાવેલ ડોક્યુમેન્ટ્સ વિના ભારત ક્યા વર્ષમાં આવ્યા હતા તેની જાહેરાત કરવી પડશે. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. કાયદા અનુસાર, ત્રણ પડોશી દેશોના બિનદસ્તાવેજીકૃત લઘુમતીઓને CAA હેઠળ લાભ મળશે.

CAA હેઠળ, મુસ્લિમ સમુદાય સિવાય ત્રણ મુસ્લિમ બહુમતી પાડોશી દેશોમાંથી આવતા અન્ય ધર્મના લોકોને નાગરિકતા આપવાની જોગવાઈ છે. કેન્દ્ર સરકારે CAA સંબંધિત એક વેબ પોર્ટલ પણ તૈયાર કર્યું છે, જે નોટિફિકેશન પછી લોન્ચ કરવામાં આવશે. ત્રણ મુસ્લિમ બહુમતી ધરાવતા પાડોશી દેશોમાંથી આવતા લઘુમતીઓએ આ પોર્ટલ પર પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને સરકારની તપાસ બાદ તેમને કાયદા હેઠળ નાગરિકતા આપવામાં આવશે. આ માટે બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી વિસ્થાપિત લઘુમતીઓને કોઈ દસ્તાવેજ આપવાની જરૂર રહેશે નહીં.

કેન્દ્ર સરકારે 2019માં કાયદામાં સુધારો કર્યો હતો

વર્ષ 2019માં નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકારે નાગરિકતા કાયદામાં સુધારો કર્યો હતો. જેમાં 31 ડિસેમ્બર 2014 પહેલા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા છ લઘુમતીઓ (હિંદુ, ખ્રિસ્તી, શીખ, જૈન, બૌદ્ધ અને પારસી)ને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. નિયમો અનુસાર નાગરિકતા આપવાનો અધિકાર કેન્દ્ર સરકારના હાથમાં રહેશે.

નાગરિકતા માટે આ કામ કરવું પડશે

સરકારે સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરી છે. આ માટે એક ઓનલાઈન પોર્ટલ પણ તૈયાર કરવામાં આવ્યું છે. અરજદાર પોતાના મોબાઈલ ફોનથી પણ અરજી કરી શકે છે. અરજદારોએ તે વર્ષ જણાવવાનું રહેશે કે જેમાં તેઓ દસ્તાવેજો વિના ભારતમાં પ્રવેશ્યા હતા. અરજદારો પાસેથી કોઈ દસ્તાવેજો પૂછવામાં આવશે નહીં. નાગરિકતા સંબંધિત આવા તમામ પેન્ડિંગ કેસ ઓનલાઈન કન્વર્ટ કરવામાં આવશે. પાત્ર વિસ્થાપિત લોકોએ પોર્ટલ પર જ ઓનલાઈન અરજી કરવાની રહેશે. જે બાદ ગૃહ મંત્રાલય તપાસ કરશે અને નાગરિકતા આપશે.

નાગરિકતા સંશોધન બિલ 2016 (CAA) 2016માં રજૂ કરવામાં આવ્યું હતું. આ માટે 1955ના કાયદામાં કેટલાક ફેરફારો કરવા પડ્યા હતા. આ ફેરફારો ભારતના ત્રણ મુસ્લિમ પાડોશી દેશો બાંગ્લાદેશ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના બિન-મુસ્લિમ શરણાર્થીઓને નાગરિકતા આપવાના હતા. 12 ઓગસ્ટ 2016ના રોજ તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવી હતી. સમિતિએ 7 જાન્યુઆરી 2019ના રોજ રિપોર્ટ સોંપ્યો હતો.

વિરોધમાં ફાટી નીકળેલાં રમખાણોમાં 50થી વધુ લોકોના જીવ ગયા હતા આ બિલ લોકસભામાં આવ્યા પહેલાં જ વિવાદમાં હતું, પરંતુ એ કાયદો બન્યા બાદ એનો વિરોધ વધી ગયો હતો. દિલ્હીના અનેક વિસ્તારોમાં પ્રદર્શન થયાં હતાં. 23 ફેબ્રુઆરી 2020ની રાત્રે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકઠી થયા પછી ફાટી નીકળેલી હિંસા રમખાણોમાં ફેરવાઈ ગઈ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ધનસુરામાં ચકચાર, સગીરા બની હવસખોરનો શિકાર

આ પણ વાંચો:અચાનક ઈન્સ્પેક્ટર સાથેના બ્રેકઅપને કારણે તનાણમાં હતી ડો.વૈશાલી જોષી, આપઘાતની દર્દનાક કહાની આવી સામે

આ પણ વાંચો:ગુજરાત સરકારની મોટી જાહેરાત, આ શાળાના વિદ્યાર્થીઓને મળશે 50 હજાર રૂપિયા

આ પણ વાંચો:સજા પૂરી કર્યા પછી પણ પાકિસ્તાનની જેલમાં કેદ, ગુજરાતના 88 વર્ષના વૃદ્ધ જોઈ રહ્યા છે સ્વદેશ પરત ફરવાની રાહ