Rohit Sharma got angry; ભારતીય ટીમને રવિવારે બાંગ્લાદેશ સામે રમાયેલી પ્રથમ વનડે મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ઓછો સ્કોર બનાવ્યા બાદ પણ ટીમ ઈન્ડિયા જીતની નજીક હતી પરંતુ મેહિદી હસન મિરાજ અને મુસ્તફિઝુર રહેમાનની 10મી વિકેટ માટે અડધી સદીની ભાગીદારીએ ભારતને હાર માટે મજબૂર કરી દીધું હતું. પરંતુ ટીમ ઈન્ડિયાની હારની જવાબદારી માત્ર આ જોડીની જ નથી પરંતુ તેની ફિલ્ડિંગ પણ છે અને કેપ્ટન રોહિત શર્મા તેનાથી ખૂબ જ ગુસ્સે દેખાતા હતા.
We lost here..#KLRahul #INDvsBANpic.twitter.com/Qfr5Os4PbM
— Tanay Vasu (@tanayvasu) December 4, 2022
પ્રથમ બેટિંગ કરતા ભારતે કેએલ રાહુલના 73 રનના આધારે 186 રન બનાવ્યા હતા. આ સરળ ટાર્ગેટ સામે બાંગ્લાદેશની બેટિંગ પણ પડી ભાંગી હતી. યજમાન ટીમે માત્ર 136 રનમાં પોતાની નવ વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી ફરી મિરાજ અને રહેમાને વળાંક આપ્યો. રાહુલે કેચ છોડ્યો ભારતને જીતવા માટે એક વિકેટની જરૂર હતી. 43મી ઓવર લાવનાર શાર્દુલ ઠાકુરે મિરાજને પેવેલિયન મોકલ્યો હતો. મિરાજે મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટની કિનારી લઈને હવામાં ગયો. આ મેચમાં કેએલ રાહુલે વિકેટકીપરની ભૂમિકા ભજવીને તેનો કેચ પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેણે આ આસાન તક ગુમાવી દીધી હતી અને મિરાજનો કેચ છોડ્યો હતો.
રાહુલે મિરાજનો કેચ છોડતાની સાથે જ રોહિતે તેના ચહેરા પર હાથ મૂક્યો અને તેના ચહેરા પર ગુસ્સો પણ સ્પષ્ટ જોઈ શકાતો હતો. આગલા બોલ પર પણ આવી જ તક સર્જાઈ અને આ વખતે બોલ થર્ડ મેન પાસે ગયો. અહીં વોશિંગ્ટન સુંદર ઊભો હતો. પરંતુ સુંદરે કેચ પકડવાની કોશિશ પણ ન કરી અને આ રીતે મિરાજને એક જ ઓવરમાં બે વખત જીવનદાન મળ્યું.હવે અન્ય વન ડે માં આવું ના થાય તેની તકેદારી રાખવી પડશે નહીતર તકલીફમાં મૂકાશે.