Jamnagar News/ ખોટી રીતે સ્ટેન્ડ બેસાડી જામનગરની હોસ્પિટલે PMJAYના 42 લાખ મંજૂર કર્યાં, 35 દર્દીઓનું ખોટું ઓપરેશન કર્યું

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ 35 જેટલા દર્દીઓનું હૃદયનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યું જામનગર સ્થિત ઓશવાળ આયુષ હેસ્પિટલમાં કાર્ડિયાક કૌભાડ થયું છે

Top Stories Gujarat Others
PMJAY યોજના હેઠળ જામનગર સ્થિત ઓશવાળ આયુષ હેસ્પિટલમાં કાર્ડિયાક કૌભાડ

Jamnagar News : જામનગરની એક હોસ્પિટલમાં થયેલા કૌભાંડને લઈને ચકચાર મચી છે. જેમાં જામનગર સ્થિત ઓશવાળ આયુષ હોસ્પિટલમાં કાર્ડિયાક કૌભાડ થયું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર જરૂર ન હોવા છતા 35 જેટલા દર્દીઓનું હૃદયનું ઓપરેશન કરી નાંખવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે. જેમાં બિનજરૂરી રીતે દર્દીઓને સ્ટેન્ટ બેસાડવાની પ્રક્રિયા કરીને 42 લાખ રૂપિયાનું પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ મંજૂરીકૃત બિલ મેળવી લેવાયું હતું.
કોંગ્રેસે આ મામલો સામે આવતા રાજ્ય સરકાર અને આરોગ્ય તંત્રની નિંદા કરીને હોસ્પિટલ વિરૂધ્ધ કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી છે. બીજીતરફ ગંભીર આરોપોને લઈને આરોગ્ય કમિશનર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરાઈ છે.

PMJAY યોજના હેઠળ જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલ મા કાર્ડિયાક કૌભાંડ

હોસ્પિટલ પર તપાસ બાદ રૂ. 1 કરોડ 26 લાખ 77 હજારનો દંડ ફટકારાયો છે. તે સિવાય ભવિષ્યમાં આ પ્રકારની ગેરરીતિ રોકવા માટે PMJAY યોજનામાંથી હોસ્પિટલના કાર્ડિયોલોજી વિભાગને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

ડો. શ્રીપદ ભિવાસ્કરને આ કૌભાંડમાં પણ સસ્પેન્ડ કરી દેવામાંઆવ્યા છે. બીજીતરફ આગળ પણ જરૂરી તપાસ આરોગ્ય વિભાગ દ્વારા ચાલુ રાખવામાં આવી રહી છે. જેમાં વધુ નામો બહાર આવવાની શક્યતા છે. જામનગરના આ કાર્ડિયાક કૌભાંડથી દર્દી સુરક્ષા અને પ્રાઈવેટ હોસ્પિટલોના વલણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. સરકારને હવે કડક મોનિટરિંગ સાથે PMJAY યોજનામાં વધુ પારદર્શિતા લાવવા પડશે, તેવી સામાન્ય જનતામાં માંગ ઉઠી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડના આરોપી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. પ્રશાંત વઝિરાણીને NMC તરફથી રાહત

આ પણ વાંચોઃ ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં નવજાત બાળકીની ટ્રાફિકિંગ કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ દાખલ!

આ પણ વાંચોઃ VS હોસ્પિટલ ક્લિનિકલ કૌભાંડ અંગે કૌભાંડી ડોકટર દેવાંગ રાણાએ કર્યો ખુલાસો