NEET Paper Leak Scam : NEET પેપર લીક કેસમાં CBIને વધુ એક સફળતા મળી છે. આજે CBIએ NEET મામલે મોટી કાર્યવાહી કરતા વધુ એક શખ્સની ધરપકડ કરી છે. NEET પેપર લીક કૌભાંડના આરોપી સંજીવ મુખિયા સાથે સંબંધ ધરાવનાર અમન સિંહની CBIએ ધનબાદમાંથી ધરપકડ કરી છે.
CBIને મળી બાતમી
CBI આ મામલાની તપાસ કરતા અનેક શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી રહી છે. આ સંદર્ભમાં સંજીવ મુખિયાના નજીકના ચિન્ટુ અને મુકેશ પાસેથી માહિતી મળ્યા બાદ સીબીઆઈએ આરોપી અમન સિંહની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે. અમનની ઝારખંડના ધનબાદથી ધરપકડ કરવામાં આવી છે. અમન સિંહ પેપર લીક કેસમાં ફરાર રોકીનો ખૂબ જ નજીક માનવામાં આવે છે અને રોકી રાંચીમાં હોટલ બિઝનેસ સાથે જોડાયેલા સંજીવ મુખિયાનો ભત્રીજો છે.
NEET પેપર લીક થયા પછી, રોકીએ તેના જવાબો તૈયાર કરવા માટે સોલ્વરોનું આયોજન કર્યું હતું. રોકી ઝારખંડમાં સંજીવ મુખિયા ગેંગની ખાસ સંપત્તિ છે. રાંચી અને પટનાના એમબીબીએસ વિદ્યાર્થીઓને સોલ્વર તરીકે ઉપયોગમાં લેવાતા હતા. મળતી માહિતી મુજબ અમન સિંહની ધરપકડથી રોકી અને સોલ્વર્સ વિશે મહત્વની માહિતી મળી શકે છે. આ સિવાય સીબીઆઈ અમન સિંહની સંજીવ મુખિયાના હાલના લોકેશન વિશે પૂછપરછ કરશે. તેને પૂછપરછ માટે પટના લાવવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે આ કેસમાં સીબીઆઈ દ્વારા લેવામાં આવેલા આરોપીઓના રિમાન્ડની મુદત આજે 4 જુલાઈએ પૂરી થઈ રહી છે.
NEET પેપર લીક મુદ્દે સંસદમાં હોબાળો
NEET પેપર લીક મુદ્દે ગૃહમાં ભારે હોબાળો થયો હતો. વિદ્યાર્થી સંગઠનો સતત રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. દરમિયાન આ કેસની તપાસ કરી રહેલી સીબીઆઈને વધુ એક સફળતા મળી હોવાના સમાચાર છે. સંજીવ મુખિયા ગેંગનો આરોપી અમન સિંહ ઝડપાઈ ગયો છે. સીબીઆઈ દ્વારા તેને ઝારખંડના ધનબાદથી કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
સુપ્રીમમાં પંહોચ્યો મામલો
NEET પેપર લીક કેસ, પરીક્ષા રદ કરવાની માંગ અને અનિયમિતતા વગેરે સંબંધિત અરજીઓની સુનાવણી 8મી જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં થવાની છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ની વિનંતી પછી, સુપ્રીમ કોર્ટ NEET કેસમાં તમામ અરજીઓને જોડીને આગળનો રસ્તો નક્કી કરશે. દેશના લાખો NEET ઉમેદવારો, માતા-પિતા અને કોચિંગ શિક્ષકોની નજર આ સુનાવણી પર છે. સુપ્રીમ કોર્ટમાં ચીફ જસ્ટિસની આગેવાની હેઠળની બેંચમાં સીજેઆઈની સાથે જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: અમરનાથ યાત્રીઓ માટે પોલીસ અને સેનાના જવાનો બન્યા દેવદૂત, મોટી દુર્ઘટના ટળી
આ પણ વાંચો: હાથરસ સત્સંગમાં 120થી વધુના મોત મામલે ભોલે બાબાના મુખ્ય સેવક અને અન્ય આયોજકો વિરુદ્ધ નોંધાયો કેસ