કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી.ચિદમ્બરમે ગુરુવારે કહ્યું હતું કે જો સરકારને લાગે છે કે ગાંધી પરિવારને એસપીજી સંરક્ષણની જરૂર નથી, તો “જો કંઇપણ થાય છે, તો સરકાર તેના માટે જવાબદાર હશે.” ચિદમ્બરમે ગયા મહિને કેન્દ્ર દ્વારા પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીના પરિવારની એસપીજી સુરક્ષા હટાવવામાં આવી તે સંદર્ભમાં સરકાર પર સીધી પ્રહારો કરી સરકારની જવાબદારી ફિક્સ કરવાની કોશિશ કરી છે.
આપને જણાવી દઇએ કે, 21 મે, 1991 ના રોજ રાજીવ ગાંધીની હત્યા LTTE ના આતંકવાદીઓએ કરી હતી. તો પૂર્વે પણ તત્કાલિન વડાપ્રધાન ઇન્દીરા ગાંઘીની પણ હત્યા કરવામાં આવી હતી. આઈએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં બુધવારે તિહર જેલમાં જામીન પર છૂટેલા ચિદમ્બરમે કહ્યું હતું કે, “જો સરકારને લાગે કે ગાંધી પરિવારને એસપીજી સંરક્ષણની જરૂર નથી. છે અથવા તે તેના હકદાર નથી, તો પછી જો કંઇપણ થાય છે તો સરકાર તેના માટે જવાબદાર રહેશે. પરંતુ ગાંધી પરિવાર ખૂબ નમ્ર છે અને કહ્યું – સારું, આ તમારો નિર્ણય છે, ઠીક છે.
આપને તે પણ જણાવી દઇએ કે, 26 નવેમ્બરના રોજ પ્રિયંકા ગાંધીના નિવાસસ્થાન પર સુરક્ષા તોડ્યા બાદ, એસપીજી સુરક્ષા હટાવવાના મુદ્દે કોંગ્રેસે સરકાર પર હુમલો વધુ તીવ્ર બનાવ્યો છે. સીઆરપીએફ કમાન્ડો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ઝેડ પ્લસ સુરક્ષા હેઠળ સુરક્ષા પૂરી પાડે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
