દાવો/ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરકાર રચવા માટે દાવો રજૂ કર્યો,આવતીકાલે બપોરે 2.20 શપથવિધિ

આ અવસરે કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી, પાટીલ, નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી હાજર રહ્યા હતા

Top Stories

ભારતીય જનતા પાર્ટી વિધાયક દલ ના નેતા તરીકે નવ નિયુક્ત થયેલા ધારાસભ્ય શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત જી ને મળીને રાજ્યમાં તેમના નેતૃત્વની નવી સરકાર ની રચના માટેનો દાવો કરતો પત્ર સુપ્રત કર્યો હતો.

આ અવસરે કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણી,ભારતીય જનતા પાર્ટી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, કેન્દ્રીય નિરીક્ષકો શ્રી ભૂપેન્દ્ર યાદવ,નરેન્દ્રસિંહ તોમર,પ્રહલાદ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટી ના પ્રદેશ અગ્રણીઓ,સાંસદશ્રી ઓ અને રાજ્ય સરકાર ના કાર્યકારી મંત્રીશ્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા

ઉલ્લેખનીય છે ગુજરાતની આતુરતાનો અંત આવ્યો છે અને નવી સરકાર માટે પત્ર આપ્યો છે ,હવે નવી ચર્ચાએ સાબિત થઇ છે કે તકેબિનેટમાં કોને સમાવવા3માંમ આવશે. તેના રાજકીય સમીકરણો હવે ચાલી રહ્યા છે.કેબિનેટનું વિસ્તરણ થશે કેટલા સભ્યોનો હશે અને કોને લેવામાં આવશે તે ચરેચા હાલ ચાલી રહી છે.