અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે આજે ઐતિહાસિક દિવસ છે. આજથી ગર્ભગૃહનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે ગર્ભગૃહના નિર્માણ માટે પ્રથમ શિલારોપણ કર્યું હતું. આ સાથે 29 મેથી શરૂ થયેલ સર્વદેવ અનુષ્ઠાનનું સમાપન થયું. હવે સીએમ યોગી કન્સ્ટ્રક્શન સાઇટ પાસે દ્રવિડિયન શૈલીમાં બનેલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં પણ ભાગ લેશે.
ગર્ભગૃહનો શિલાન્યાસ કર્યા બાદ મીડિયા સાથે વાત કરતા સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે રામ મંદિર ભારતનું રાષ્ટ્ર મંદિર હશે. હવે સેંકડો વર્ષોની રાહ પૂરી થવા જઈ રહી છે કારણ કે મંદિર નિર્માણનું કામ ઝડપથી થશે. તેમણે કહ્યું કે શિલાની પૂજા કરવી ખૂબ જ સૌભાગ્યની વાત છે.
उत्तर प्रदेश: मुख्यमंत्री योगी आदित्यनाथ ने अयोध्या के हनुमानगढ़ी मंदिर पहुंचकर पूजा अर्चना की। pic.twitter.com/P4NxkfUg3U
— ANI_HindiNews (@AHindinews) June 1, 2022