પૂર્વી લદ્દાખની નિયંત્રણ રેખા પાસે (એલએસી) ભારત અને ચીન વચ્ચે મહિનાઓથી વિવાદ ચાલી રહ્યો છે. જેને કારણે તણાવપૂર્ણ પરિસ્થિતિ યથાવત્ છે. બંને દેશોએ અનેક તબક્કાની વાતચીત કરી છે, પરંતુ સ્થિતિ પહેલાની જેમ થઈ નથી. પડોશી દેશ હવે લદ્દાખ પછી ગુજરાતની સરહદ પર રણનીતિ બતાવવાની તૈયારીમાં છે. હકીકતમાં, ચીન પાકિસ્તાની સૈન્ય સાથે સૈન્ય કવાયત કરવા જઈ રહ્યું છે, જેના માટે તેણે ગુજરાત સરહદ નજીક પાકિસ્તાની એરબેઝ પર લડાકુ વિમાનો અને સૈનિકો મોકલ્યા છે. સોમવારે ચીને આ અંગેની જાહેરાત કરી હતી કે, એરફોર્સ કવાયતનો હેતુ બંને સેનાઓની ‘વાસ્તવિક લડાઇ તાલીમ’ સુધારવાનો છે.
પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ) એ એક નિવેદનમાં જણાવ્યું છે કે, પાકિસ્તાનના કરાચીના ઉત્તર-પૂર્વમાં ભોલારી સ્થિત પાકિસ્તાન વાયુ સેનાના એરબેઝના પાકિસ્તાન-ચીન સંયુક્ત વાયુસેનાની કવાયત શાહીન (ઇગલ) IX.માં ભાગ લેવા માટે 7 ડિસેમ્બરે, ચીની એરફોર્સના સૈનિકો ઉડાન ભરી છે. “શાહીન-નવ ના ટૂંકું ચાઇનીઝ નિવેદનમાં પી.એલ.એ. એરફોર્સની પાકિસ્તાન સાથે કવાયત માટે તૈનાત કરવાની વધુ વિગતો આપવામાં આવી નથી, પરંતુ કહ્યું કે આ ડિસેમ્બરમાં ના અંતમાં સમાપ્ત થશે.
નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે સંયુક્ત હવાઈ દળ કવાયત, જે ડિસેમ્બરના અંતમાં પૂર્ણ થશે, તે બંને દેશોની સૈન્યની સહકાર યોજના હેઠળનો પ્રોજેક્ટ છે. નિવેદનમાં વધુમાં જણાવાયું છે કે તે ચીન-પાકિસ્તાનના સૈન્યથી લશ્કરી સંબંધોના વિકાસને પ્રોત્સાહન આપશે, બંને વાયુ સેના વચ્ચે વ્યવહારુ સહયોગ વધુ ઊંડો બનશે. અને બંને પક્ષના વાસ્તવિક યુદ્ધના તાલીમ સ્તરમાં સુધારો કરશે. સપ્ટેમ્બર 2019 માં ચીનના ઝિંજિયાંગમાં યોજાયેલ શાહીન ડ્રીલની અંતિમ આવૃત્તિમાં બંને દેશોના લગભગ 50 યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો.
સેટેલાઇટ ઇમેજરી નિષ્ણાત @dresresfa નામના એક ટ્વિટર હેન્ડલે સોમવારે સાંજે ટ્વીટ કર્યું છે કે ચીની એરફોર્સનું વાય 20 ભારે લિફ્ટ પ્લેન પાકિસ્તાનના ભોલારી એરબેઝ પર ઉતરતું જોવા મળ્યું હતું. આ સાથે અન્ય એક અજાણ્યા વિમાન પણ મળી આવ્યા છે. આ બંને વિમાન એક જ માર્ગને પગલે સંયુક્ત કવાયતમાં સામેલ થયાની શંકા છે. પીએલએ એરફોર્સે કહ્યું છે કે ભારતને અડીને આવેલા એલએસીની નજીક લડાકુ વિમાનો તૈનાત કરવામાં આવ્યા છે.
તે જ સમયે, એક ચાઇનીઝ મીડિયા અહેવાલે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે તાજેતરમાં મોટી સંખ્યામાં ચીની લડાકુ વિમાનોએ વેસ્ટર્ન થિયેટર કમાન્ડની આસપાસ સઘન કવાયત કરી છે. ડિસેમ્બર 2017 માં પાકિસ્તાનના ભોલારી એરબેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…