જમ્મુ-કાશ્મીરનાં પુંછમાં આવતા બાલાકોટ સેક્ટરમાં, પાકિસ્તાન તરફથી ફાયરિંગમાં સેનાનો એક જવાન શહીદ થયો છે. ઘટના અંગેની વધુ માહિતીની રાહ જોવાઇ રહી છે. સ્થાનિક પોલીસ દ્વારા પણ તેની પુષ્ટિ કરવામાં આવી છે. બુધવારે પણ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનાં ભંગમાં સેનાનાં એક પોર્ટરનું મોત નીપજ્યું હતું.
બુધવારની આ ઘટના બારામુલ્લા જિલ્લામાં લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર બની હતી. સેના દ્વારા આ કૃત્ય અંગે પાકિસ્તાનને પુરો પ્રતિસાદ આપવામાં આવ્યો હતો. મૃત્યુ પામનાર પોર્ટર આર્મીની 11 મહાર રેજિમેન્ટની સાથે લાછીપોરા પોસ્ટ પર તૈનાત હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.