મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો ત્રીજો કોરોના રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. તેથી, તેઓ હોસ્પિટલમાં રહેશે. રાજ્યના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ મંગળવારે પત્રકારો સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે મુખ્યમંત્રી ચૌહાણને કોરોનાના કોઈ લક્ષણો નથી, પરંતુ ત્રીજો રીપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે, તેથી આગામી રીપોર્ટ આવે ત્યાં સુધી તેઓ હોસ્પિટલમાં જ રહેશે.
આપને જણાવી દઈએ કે, 25 જુલાઈએ મુખ્યમંત્રી ચૌહાણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ કોવિડને સેન્ટર ચિરાયુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
ચૌહાણ સતત હોસ્પિટલમાંથી વિભાગીય સમીક્ષા બેઠક, કોરોનાની વ્યવસ્થા અને સ્થિતિની સમીક્ષા કરે છે અને કેબિનેટની વર્ચ્યુઅલ મીટિંગ કરે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.