દેશમાં બેકાબૂ કોરોના વાયરસનું સંક્રમણ દરરોજ હજારો લોકોને તેની ચપેટમાં લઇ રહ્યો છે અને દરરોજ હજારો નવા કોરોના કેસ સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશના છેલ્લા 24 કલાકમાં એટલે કે શુક્રવારે સવારે 8 વાગ્યાથી લઈને શનિવારે સવારે 8 વાગ્યા દરમિયાન કોરોના વાયરસના 61,537 નવા કેસ નોંધાયા છે અને આ પછી દેશમાં કુલ કોરોના વાયરસના કેસ વધીને 20,88,611 પર પહોંચી ગયો છે.
માત્ર કોરોના વાયરસનું સંક્રમણ જ વધારો નથી થઇ રહ્યો, પરંતુ તેના કારણે લોકોના મોતની સંખ્યા પણ સતત વધી રહી છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોના વાયરસને કારણે 933 લોકોનાં મોત નીપજ્યાં છે અને આજ સુધી આ જીવલેણ વાયરસથી દેશભરમાં 42511 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં કોરોના વાયરસ મૃત્યુ દર 2.03 ટકા છે.
જો કે કોરોના વાયરસથી સાજા થનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, પરંતુ નવા કેસ જે દર પર આવી રહ્યા છે તે ગતિએ સાજા થનારનો આંક વધી રહ્યો નથી. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોનાથી 48900 લોકો સ્વસ્થ થયા છે અને અત્યાર સુધીમાં કુલ 1427005 લોકો સાજા થયા છે. દેશમાં કોરોનાના કુલ સક્રિય કેસ 619088 છે.
દેશમાં કોરોના કેસની ઓળખ માટે સતત તપાસ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 2.33 કરોડથી વધુ પરીક્ષણો લેવામાં આવ્યા છે, શુક્રવારે દેશભરમાં કુલ 5,98,778 પરીક્ષણો લેવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.