શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા પોતાની માંગણીઓને લઇને નવતર પ્રયોગ કરવામાં આવશે. જી હા, શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા PM પોર્ટલ પર આ સમગ્ર મામલાની રજુઆત કરવામાં આવશે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા PM મોદીને રોજગારી મુદ્દે હસ્તક્ષેપ કરવા રજુઆત કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 3 વર્ષથી યુવા બેરોજગારો પરેશાન છે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ બેરોજગારી અને ભરતી મામલે અનેક વખત રોડ-રસ્તા પર આંદોલન માટે પણ આવી ચૂકી છે. સરકાર હોબાળો મચે ત્યારે વચનો આપે છે, પરંતુ ખરેખર આ મામલે કોઇ પણ પ્રકારનું ધ્યાન નહીં આપતી હોવાની ફરિયાદ શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા PMને કરવામાં આવવાની સાથે સાથે PMને આ મામલે હસ્તક્ષેપ કરવા રજૂઆત પણ કરવામાં આવશે. શિક્ષિત યુવા બેરોજગાર સમિતિ દ્વારા યુવા બેરોજગારો PM પોર્ટલ પર ફરિયાદ નાખશે અને ફરિયાદની પહોંચ મળ્યે તેને ટ્વીટર ટ્રેન્ડ પર પણ લાવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….