![રાજસ્થાન/ BSP એ કોંગ્રેસમાં વિલય થયેલા 6 MLA ને જારી કર્યો વ્હીપ 3 fa696d0d68158ae907630f637e44a4af રાજસ્થાન/ BSP એ કોંગ્રેસમાં વિલય થયેલા 6 MLA ને જારી કર્યો વ્હીપ](https://api.mantavyanews.in/wp-content/uploads/2020/08/fa696d0d68158ae907630f637e44a4af.jpg)
રાજસ્થાનમાં, વિધાનસભા સત્ર આજે 14 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યું છે. આ પહેલા બહુજન સમાજ પાર્ટી (બસપા) એ કોંગ્રેસમાં તેના છ વિલય કરી ચુકેલા ધારાસભ્યોને વ્હીપ જાહેર કર્યો છે. બસપાએ વ્હીપમાં ધારાસભ્યોને વિશ્વાસની દરખાસ્તમાં કોંગ્રેસ વિરુદ્ધ મત આપવા જણાવ્યું છે. બસપા વતી વ્હીપમાં કહેવામાં આવ્યું હતું કે જો ધારાસભ્યો વ્હીપ સ્વીકારશે નહીં તો તેમના પર કાર્યવાહી કરવામાં આવશે. જણાવી દઇએ કે, બસપાનાં 6 ધારાસભ્યોનું કોંગ્રેસમાં વિલયનો મામલો રાજસ્થાન હાઇકોર્ટમાં પેન્ડિંગ છે.
આ પહેલા સુપ્રીમ કોર્ટે રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગેહલોતને રાહત આપતા આ કેસમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બસપાનાં ધારાસભ્યો કોંગ્રેસમાં વિલય થવાના મામલામાં સર્વોચ્ચ અદાલતે ગુરુવારે કહ્યું હતું કે હાલમાં હાઇકોર્ટ સુનાવણી કરી રહી છે. અમે આ મામલે દખલ નહીં કરીએ. બસપાથી કોંગ્રેસમાં જોડાયેલા છ ધારાસભ્યો વિધાનસભા સત્રમાં ભાગ લઈ શકશે.
આ પણ વાંચો- લો બોલો!! હવે ચીનનો દાવો, બ્રાઝિલથી આવેલા ચિકન વિગ્સમાં મળી આવ્યો કોરોનાવાયરસ
બહુજન સમાજ પાર્ટીનાં સુપ્રીમો માયાવતીએ મંગળવારે પાયલોટ અને ગેહલોત વચ્ચે સમાધાન અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજસ્થાનનાં રાજ્યપાલે રાજ્યની ‘ગંભીર રાજકીય પરિસ્થિતિ‘ પર ધ્યાન આપવુ જોઈએ જેથી લોકોને રાજકીય અનિશ્ચિતતામાંથી મુક્તિ મળી શકે. રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હાલમાં જ ધારાસભ્યોના બળવાથી બચી ગઈ હતી, પરંતુ મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલોટ વચ્ચે ફરીથી ‘નાટક‘ ક્યારે શરૂ થશે તે કોઈને ખબર નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.