Not Set/ પૂર્વ વડા પ્રધાન વાજપેયીની પુણ્યતિથી પર PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

  વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાને એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિમાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે. ભારતનાં પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર […]

India
a027e7e759fca091c75e48dd0fe9ce13 પૂર્વ વડા પ્રધાન વાજપેયીની પુણ્યતિથી પર PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ
a027e7e759fca091c75e48dd0fe9ce13 પૂર્વ વડા પ્રધાન વાજપેયીની પુણ્યતિથી પર PM મોદી, રાષ્ટ્રપતિ કોવિંદ સહિત આ નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીને તેમની પુણ્યતિથિ નિમિત્તે યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પી હતી. વડા પ્રધાને એક ટ્વિટમાં લખ્યું છે કે દેશની પ્રગતિમાં અટલ બિહારી વાજપેયીનું અમૂલ્ય યોગદાન હંમેશા યાદ રહેશે.

ભારતનાં પૂર્વ વડા પ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પોતાના ટ્વિટમાં તેમણે લખ્યું છે, ‘પ્યારે અટલ જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ભારત હંમેશા તેમની રાષ્ટ્રની પ્રગતિ માટેનાં તેમના ઉત્કૃષ્ટ સેવા અને પ્રયત્નોને યાદ રાખશે.

પીએમ મોદીએ એક સંદેશમાં કહ્યું, ‘આ દેશ અટલ જીનાં યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના નેતૃત્વ હેઠળ, અમે પરમાણુ શક્તિમાં પણ દેશને ગર્વ કરવાની તક આપી. પક્ષનાં નેતા હોય, સાંસદ હોય, પ્રધાન હોય કે વડા પ્રધાન હોય, દરેક ભૂમિકામાં અટલ જી આદર્શ સાબિક થયા.

આપને જણાવી દઇએ કે, આજે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ છે. 2018 માં, વાજપેયીનું મૃત્યુ દિલ્હીની એઈમ્સમાં લાંબી બીમારી પછી 93 વર્ષની વયે થયું હતું. રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે સવારે અટલ બિહારી વાજપેયીનાં સ્મારક સ્થળ સદૈવ અટલની મુલાકાત લીધી હતી અને તેમને પુષ્પાંજલિ અર્પી હતી. ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પણ સ્મારક સ્થળે શ્રદ્ધાંજલિ આપી હતી.

પૂર્વ વડા પ્રધાન વાજપેયીને યાદ કરીને દેશના ઘણા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે વાજપેયીને યાદ કરતા એક ટ્વીટમાં લખ્યું છે કે, નરેન્દ્ર મોદીજીનાં નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અટલ જીનાં વિચારોને કેન્દ્રમાં રાખીને અને ભારતને વિશ્વની મહાસત્તા બનાવવા માટે સુશાસન અને ગરીબ કલ્યાણનાં માર્ગ પર છે. શ્રદ્ધેય અટલ બિહારી વાજપેયીજીની પુણ્યતિથિ નિમિત્તે તેમને કોટિ કોટિ વંદન.

શાહે કહ્યું, અટલ જીનાં કાર્યકાળમાં પ્રથમ વખત દેશમાં સુશાસન બનતું જોયું. એક તરફ તેમણે સર્વ શિક્ષા અભિયાન, પીએમ ગ્રામ સડક યોજના, રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિકાસ યોજના જેવા વિકાસ કાર્યો કર્યા, બીજી તરફ તેમણે પોખરણ ટ્રાયલ અને કારગિલ વિજય સાથે મજબૂત ભારતનો પાયો નાખ્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.