સમગ્ર વિશ્વમાં આજે કોરોનાનાં કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આ ચેપથી અત્યાર સુધીમાં 2.49 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ વાયરસથી 8.42 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ લીધા છે. ભારતમાં પણ કોવિડ-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે. દેશમાં કોરોના કેસ 35 લાખને પાર વટાવી ગયા છે.
રવિવારે સવારે આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં કોરોના ચેપની સંખ્યા વધીને 35,42,733 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 78,761 નવા કેસ નોંધાયા છે. આ એક દિવસમાં નોંધાયેલો સૌથી મોટો આંક છે. આ સમય દરમિયાન દેશમાં 948 કોરોના ચેપથી મૃત્યુ પામ્યા છે. 27,13,934 દર્દીઓ ઠીક થયા છે અને અત્યાર સુધીમાં 63,498 લોકો મૃત્યુ પામ્યા છે. રિકવરી દર વિશે વાત કરીએ તો, તે થોડો વધારે થયા બાદ 76.6 ટકા પર પહોંચી ગયો છે. પોઝિટિવિટી રેટ 7.46 ટકા છે. ઓગસ્ટ 29 નાં રોજ, 10,55,027 કોરોના સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 4,14,61,636 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ છે.
India’s #COVID19 case tally crosses 35 lakh mark with a spike of 78,761 new cases & 948 deaths in the last 24 hours.
COVID-19 case tally in the country stands at 35,42,734 including 7,65,302 active cases, 27,13,934 cured/discharged/migrated & 63,498 deaths: Health Ministry pic.twitter.com/Nx66Q72yQp
— ANI (@ANI) August 30, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.