Not Set/ PM મોદીએ બિહારમાં NDA નાં ચહેરા તરીકે નીતીશ કુમારનાં નામનું કર્યુ સમર્થન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એનડીએનાં ચહેરા તરીકે નીતીશ કુમારનાં નામનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે નીતીશ કુમારે નવા ભારત અને નવા બિહાર માટે મોટી ભૂમિકા ભજવી છે. પીએમ મોદીએ કહ્યું કે, બિહાર ઘણા વર્ષોથી વિકાસમાં પાછળ હતુ. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા જ્યારે બિહાર માટે વિશેષ પેકેજની જાહેરાત […]

India

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બિહારમાં એનડીએનાં ચહેરા તરીકે નીતીશ કુમારનાં નામનું સમર્થન કર્યું હતું. તેમણે કહ્યું કે નીતીશ કુમારે નવા ભારત અને નવા બિહાર માટે મોટી ભૂમિકા ભજવી છે.

પીએમ મોદીએ કહ્યું કે, બિહાર ઘણા વર્ષોથી વિકાસમાં પાછળ હતુ. પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું હતું કે, થોડા વર્ષો પહેલા જ્યારે બિહાર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવી હતી, ત્યારે રાજ્યનું માળખાગત સુવિધાઓ પર ઘણું ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું, “એક સમય હતો જ્યારે બિહારમાં માર્ગ કનેક્ટિવિટી, ઇન્ટરનેટ કનેક્ટિવિટી જેવા વિષયોની ચર્ચા કરવામાં આવતી નહોતી. તેની ભૌગોલિક પરિસ્થિતિઓને કારણે બિહારને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ નીતીશ કુમારે નવા ભારત, નવા બિહારની વાત કરી દિશામાં કામ કરીને, અમારા દરેકનાં હેતુમાં મોટી ભૂમિકા ભજવી.

પીએમ મોદીએ કહ્યું કે, એક સમય હતો જ્યારે બિહારમાં એલપીજી ગેસ કનેક્શન્સ રાખવું એ ધનિક લોકોની નિશાની હતી. લોકોએ દરેક ગેસ કનેક્શન માટે ભલામણો કરવી પડતી હતી. જેના મકાનમાં ગેસ હતો, તે માનવામાં આવતું હતું કે તે ખૂબ મોટા પરિવારમાંથી છે, પરંતુ હવે બિહારમાં આ અવધારણા બદલાઈ ગઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.