ઉડાન યોજના અંતર્ગત મુસાફરોની સેવા માટે તૈયાર કરવામાં આવતા દરભંગા એરપોર્ટથી 8 નવેમ્બરથી ફ્લાઇટ સેવાઓ ઉપલબ્ધ થશે. સ્પાઈસ જેટે મુસાફરો માટે ઓનલાઇન ટિકિટ બારી ખોલી છે. દરભંગાની ટિકિટ બુકિંગ હવે દિલ્હી, બેંગલુરુ અને મુંબઇથી શરૂ થઈ ગઈ છે. મિથિલાના લોકો લાંબા સમયથી દરભંગાથી ફ્લાઇટ સર્વિસ શરૂ થાય તેની રાહ જોતા હતા.
મિથિલાના લોકો સોશિયલ મીડિયા દ્વારા ટિકિટ બુક કરાવીને ખુશી વ્યક્ત કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે તાજેતરમાં કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરીએ દરભંગા વિમાનમથકની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ટૂંક સમયમાં ટિકિટ બુકિંગ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.