Not Set/ તિરુવનંતપુરમ એરપોર્ટ પર NIA ના હાથ લાગ્યા 2 આતંક્વાદી, સાઉદી અરેબિયાથી પહોંચ્યા હતા કેરળ

  રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ત્રણ કલાકની પૂછપરછ બાદ બે આતંકવાદીઓની અટકાયત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને આતંકીઓ સાઉદી અરેબિયાથી અહીં આવ્યા બાદ NIAએ  આ બંનેની અટકાયત કરી હતી, જેમાંથી એક ગુલ નવાઝ ઉત્તર પ્રદેશનો છે અને બીજો શુહૈબ કેરળના કન્નુરનો છે. આ બે આતંકીઓમાંથી […]

India
619d5fbadc56e14cb4783f00cd353601 તિરુવનંતપુરમ એરપોર્ટ પર NIA ના હાથ લાગ્યા 2 આતંક્વાદી, સાઉદી અરેબિયાથી પહોંચ્યા હતા કેરળ
619d5fbadc56e14cb4783f00cd353601 તિરુવનંતપુરમ એરપોર્ટ પર NIA ના હાથ લાગ્યા 2 આતંક્વાદી, સાઉદી અરેબિયાથી પહોંચ્યા હતા કેરળ 

રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ) એ સોમવારે રાત્રે કેરળના તિરુવનંતપુરમ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ત્રણ કલાકની પૂછપરછ બાદ બે આતંકવાદીઓની અટકાયત કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે બંને આતંકીઓ સાઉદી અરેબિયાથી અહીં આવ્યા બાદ NIAએ  આ બંનેની અટકાયત કરી હતી, જેમાંથી એક ગુલ નવાઝ ઉત્તર પ્રદેશનો છે અને બીજો શુહૈબ કેરળના કન્નુરનો છે.

આ બે આતંકીઓમાંથી એક લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલ છે અને બીજો ઇન્ડિયન મુજાહિદ્દીન છે. સાઉદી અરેબિયા અહીં રિયાદથી પરત ફર્યા બાદ ગુપ્તચર એજન્સી આરએડબ્લ્યુ સહિત અનેક તપાસ એજન્સીઓ દ્વારા તેમની લગભગ ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર, તેમને પહેલા કોચી લઈ જવામાં આવશે, ત્યારબાદ શુહાબને બેંગાલુરુ લઈ જવામાં આવશે, જ્યારે ગુલ નવાઝને દિલ્હી લઈ જવામાં આવશે. આ બંને આતંકવાદીઓને બેંગાલુરુમાં થયેલા વિસ્ફોટના મામલે અટકાયતમાં લેવામાં આવ્યા છે અને આ કેસમાં તેમની સામે લુકઆઉટ નોટિસ પણ આપવામાં આવી હતી.

આ પહેલા, 19 સપ્ટેમ્બરના રોજ, એનઆઈએ દ્વારા કેરળના એનાર્કુલમથી ત્રણ અને પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદથી છ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. કસ્ટડીમાં લેવામાં આવ્યા પછી, એજન્સીએ કહ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા પ્રારંભિક તપાસમાં તેમને પાકિસ્તાન સ્થિત અલ-કાયદાના આતંકવાદીઓ દ્વારા રાષ્ટ્રીય રાજધાની સહિત દેશના ઘણા વિસ્તારોમાં મોટા હુમલાઓ કરવા તૈયાર કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત અટકાયતી આતંકવાદીઓ પાસેથી મોટી સંખ્યામાં ડિજિટલ સાધનો, જેહાદી સાહિત્ય અને દસ્તાવેજો, તીક્ષ્ણ હથિયારો, દેશી બોમ્બ અને સંરક્ષણ જેકેટ મળી આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.