આગામી સમયમાં કોર્પોરેશન અને નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે આમ આદમી પાર્ટી આક્રમક બનતી જઈ રહી છે. વસ્ત્રાપુર ખાતે આવેલી deo કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. આમ આદમી પાર્ટી ની માંગ છે કે કોરોનાના કપરા કાળમાં વાલીઓ પોતાના બાળકોની શાળા કોલેજની ફી ભરી શકે એવી સ્થિતિ નથી ત્યારે સરકાર તમામ વિદ્યાર્થીઓની 1 વર્ષની ફી માફ કરે. સાથે ગ્રાન્ટેડ શાળામાં વહીવટી ચાર્જ ચૂકવે.
પ્લે કાર્ડ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે વસ્ત્રાપુર પોલીસ ત્યાં પહોંચી હતી. આમ આદમી પાર્ટી દ્વારા મંજૂરી વગર વિરોધ કરાયો હતો. સાથે જ સોશિયલ ડિસ્ટન્સ જળવાયું નહોતું. જેને લઈને તમામની અટકાયત કરવામાં આવી હતી. તો બીજી તરફ કાયદાના રક્ષક એટલે કે પોલીસે પણ કાયદાનું ભાન રાખ્યા વગર જ ઘેટાં બકરાની જેમાં પોલીસ વાંન માં ભરી ને લઈ જવામાં આવ્યા હતા. એટલે કે પોલીસે કાયદો જાળવવા માટે કાયદો તોડ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યના તમામ મહાનગરો માં આવેલી શિક્ષણ કચેરી બહાર આજ પ્રકારે વિરોધ કર્યો હતો .
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “Mantavya News” ની નવી મોબાઇલ એપ્લિકેશન….