રાજ્યમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. સામાન્ય માણસથી લઇને નેતાઓ પણ આની ઝપટથી દૂર રહી શક્યા નથી. ત્યારે મળી રહેલી માહિતી અનુસાર અમદાવાદ ભાજપનાં 5 કાઉન્સિલરોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે, ત્યારે રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદમાં નોંધાયા છે. અહી કુબેરનગર, સરદારનગર, વટવા અને સરખેજનાં વોર્ડનાં કોર્પોરેટર કોરોનાની ઝપટમાં આવી ગયા છે. કલાબેન યાદવ, બિપિન સિક્કા, ઉર્વશી ડાભી, પંકજસિંહ સોલંકી અને જેઠીબેન ડાંગર કે જેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે 20 થી વધુ કાઉન્સિલરો હોમ ક્વોરન્ટાઇન પણ થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.