ગુજરાત્માંકોરોના સંકટ સતત ઘેરાતું જઈ રહ્યું છે. રાજ્યના મોટા ભાગના જીલ્લામાં કોરોના કેસ અને તેનાથી થતા મોત નો આંક સતત વધી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ ભયાવહ બની છે. સુરત સાથે દક્ષિણ ના અન્ય જીલ્લામાં પણ સ્થિતિ અતિ દારુણ બની છે.
વલસાડ જીલ્લામાં આવેઈ સિવિલ હોઅપીતાલની હાલત પણ અતિ બદતર છે. અહીં કોરોના વાઇરસે કોહરામ મચાવ્યો છે. મોટી સંખ્યામાં દર્દીઓ અને સાથે તેમના મોતને કારણે હોસ્પિટલમાં આવેલો PM રૂમ કોરોના દર્દીઓની લાશથી ઉભરાઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શનિવારે વલસાડ સિવિલ હોસ્પિટલમાં 14 દર્દીઓના મોત થયા છે. જે પૈકી 12 મૃતદેહ કોરોના સંક્રમિત છે. જયારે બે મૃતદેહ ના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. જેને લઇ હાલમાં વલસાડ સિવિલ હોસ્પિટલનો pm રૂમ હાલમાં કોરોના સંક્રમિતોની લાશોથી ઉભરાયો છે.
તંત્ર દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓના મોત ના આંકડા છુપાવાયા હોવાના આક્ષેપ પણ કરવામાં આવી રહ્યા છે. તો હોસ્પીટલની બહાર મૃતદેહ લેવા માટે સ્વજનોની ભીડ ભેગી થઇ છે.