Ahmedabad News/ સીએમ ભૂપેન્દ્ર પટેલ પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા

અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના પગલે સીએમ ભુપેન્દ્ર પટેલ મારતા પ્લેને સુરતથી અમદાવાદ આવ્યા હતા અને પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ તરત જ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat Breaking News

Ahmedabad News: અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનાના પગલે સીએમ ભુપેન્દ્ર પટેલ મારતા પ્લેને સુરતથી અમદાવાદ આવ્યા હતા અને પ્લેન ક્રેશના ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેઓ તરત જ દુર્ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે વાતચીત કરી હતી. અમદાવાદ એરપોર્ટ સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યું છે.

સીએમ ભુપેન્દ્ર પટેલે ઘટનાસ્થળે પહોંચીને તરત જ સૂત્રો તેમના હાથમાં લઈને સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી સૂચનાઓ આપવાનો પ્રારંભ કર્યો છે. બચાવ અને રાહતની કામગીરી પૂરજોશમાં છે. અમદાવાદ આવવા માટે ડીજીસીએની ટીમ નીકળી ગઈ છે. એરપોર્ટ તરફના બધા જ રસ્તા બ્લોક કરી દેવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

આ પ્લેન અમદાવાદથી લંડન જતું હતું અને પ્લેન ટેક-ઓફ થયા પછી તરત જ ક્રેશ થઈ ગયું હતું. ફ્લાઇટમાં કુલ 242 મુસાફરો હતા. પ્લેનમાં 16 ફ્લાઇટ ક્રુ અને ચાર કેપ્ટન હતા. આ પ્લેનમાં રાજ્યના ભૂતપૂર્વ સીએમ વિજય રૂપાણી હોવાનું માનવામાં આવે છે. મંત્રી ઋષિકેશ પટેલ પણ સિવિલ જવા રવાના થયા છે. અમદાવાદમાં સરકીટ હાઉસ ખાતે ભીડ જામવા માંડી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડભોઇમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળનું ઉદ્દઘાટન કરી વિદ્યારંભ કરાવ્યો

આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટ શહેર-જિલ્લાને આપી રૂ. ૫૫૭ કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોની ભેટ