રાજ્ય વિધાનસભાની આગામી ચુંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ‘કરો યા મારો’ ની સ્થિત, ગુજરાતના ૨૫ લાખ ખેડૂત પરિવારને વ્યાજના ચક્કરમાંથી મુક્ત કરવા સરકાર ખેડૂતોને ખેતી માટે ૩ લાખની લોન આપે છે. એ લોન હવેથી ૭% વ્યાજ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભોગવશે. ખેડૂતોને વ્યાજ વગરની લોન આપશે.
ખેડૂતો માટે સરકરની તિજોરી ખુલ્લી મુકવામાં આવશે. ગુજરાત નંબર ૧ છે અને રેહવાનું છે. કોંગ્રેસ માટે વિકાસ મજાક હશે, અમારા માટે વિકાસ મિજાજ છે. કોંગ્રેસ વિકાસ શબ્દથી ડરી ગઈ છે. રઘવાઈ થઈ છે.
કોંગ્રેસ ગરીબી, ભ્રષ્ટાચાર લાવી છે. કોંગ્રસ પરિવારવાદ, વોટ બેન્કની રાજનીતિસાથે દેશને પાયમાલ કર્યો છે.વિકાસ વગરનું ગુજરાત અસંભવ છે, મોદી હોય ત્યાં વિકાસ સ્વાભાવિક છે