યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર જીત મળ્યા બાદ હવે રાજ્યના વડા યોગી આદિત્યનાથ રવિવારે એટલે કે આવતીકાલે દિલ્હી આવવાના હોવાની માહિતી મળી રહી છે. માહિતી આપતાં સૂત્રોએ જણાવ્યું કે યોગી આદિત્યનાથ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી શકે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠકનો હેતુ બંને નેતાઓને યુપીમાં બની રહેલી નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં આમંત્રિત કરવાનો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, યુપીમાં શપથ ગ્રહણ સમારોહ હોળી પછી થશે.
ભાજપ ગઠબંધનને 273 બેઠકો મળી હતી
આપને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ ચૂંટણીમાં બીજેપી બીજી વખત જંગી બહુમતી સાથે જીતી છે. ભારતીય જનતા પાર્ટીએ તેના સાથી પક્ષો સાથે મળીને 273 બેઠકો જીતીને સંપૂર્ણ બહુમતી મેળવી છે. ચૂંટણી પરિણામોની વાત કરીએ તો ભાજપને 41.29 ટકા વોટ મળ્યા જ્યારે સમાજવાદી પાર્ટીને 32.03 ટકા વોટ મળ્યા. જ્યારે બહુજન સમાજ પાર્ટીને 12.88 ટકા વોટ મળ્યા છે. યુપીમાં સમાજવાદી પાર્ટી 111 સીટો જીતીને મુખ્ય વિપક્ષી પાર્ટી બની ગઈ છે.