અચલેશ્વર મહાદેવના નામે ભારતભરમાં ઘણા મંદિરો છે, પરંતુ આજે આપણે રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં અચલેશ્વર મહાદેવ મંદિર વિશે વાત કરી રહ્યા છીએ. ધૌલપુર જિલ્લો રાજસ્થાન અને મધ્યપ્રદેશની સરહદ પર સ્થિત છે. આ વિસ્તાર ચંબલના કોતરો માટે પ્રખ્યાત છે. આ દુર્ગમ કોતરોની અંદર ભગવાન અચલેશ્વર મહાદેવનું મંદિર છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા અહીંના શિવલિંગ છે, જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે.
સવારે શિવલિંગનો રંગ લાલ રહે છે, બપોર પછી કેસરીનો રંગ છે, અને શિવલિંગનો રંગ સાંજ પડતાં જ ઘેરો થઈ જાય છે. આવું કેમ થાય છે તેનો જવાબ કોઈની પાસે નથી. ભગવાન અચલેશ્વર મહાદેવનું આ મંદિર હજારો વર્ષ જૂનું છે. આ મંદિર વિરાણ કોતરોમાં આવેલું છે અને ત્યાં સુધી પહોંચવા માટે નો રસ્તો પણ બહુ ખરાબ અને દુર્ગમ છે. તેથી પહેલા અહીં ઘણા ઓછા લોકો આવતાં હતા, પરંતુ ભગવાનના ચમત્કારના સમાચાર લોકો સુધી પહોંચતાં જ ભક્તોએ અહીં સંઘર્ષ કરીને પણ દર્શને આવાનું શરુ કર્યું છે.
આ શિવલિંગ ની બીજી એક અનોખી વાત એ છે કે આજ સુધી આ શિવલિંગના અંત જાણી શકાયું નથી. એવું કહેવામાં આવે છે કે બહુ લાંબા સમય પહેલા, ભક્તોએ આ શિવલિંગ ને જમીનમાં કેટલું ઊંડે આવેલું છે તે જાણવા માટે શિવલીંગની આજુબાજુ ખોદકામ કર્યું હતું. પરંતુ તેમને શીવ્લીન્ગનો અંત મળ્યો ના હતો. છેવટે, તેઓએ તેને ભગવાનના ચમત્કાર તરીકે ખોદવાનું બંધ કર્યું.
ભક્તોનું માનવું છે કે ભગવાન અચલેશ્વર મહાદેવ બધાની મનોકામનાઓ પૂર્ણ કરે છે, ખાસ કરીને જો છોકરા-છોકરીઓ અહીં આવીને તેમના લગ્નની માંગ કરે છે, તો તે ખૂબ જલ્દી પૂર્ણ થાય છે.
હવે જો તમને ક્યારેય ધૌલપુરની મુલાકાત લેવાની તક મળશે, તો ભગવાન અચલેશ્વર મહાદેવના દર્શન ચોક્કસથી કરજો.
આ પણ વાંચો:Kevadiya / સફારી પાર્કના પ્રાણી અને પક્ષીઓના દિલોજાન બનતા આદિવાસી યુવાન…
આ પણ વાંચો:વ્યક્તિ વિશેષ / આ છે ભારતનાં પ્રખ્યાત 10 બ્લોગર્સ, દર મહિને કમાય છે આવી અધધધ…
આ પણ વાંચો:Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ….
આ પણ વાંચો:અષ્ટભુજા ધામ ..!! આ મંદિરમાં માથા વગરની મૂર્તિની પૂજા કરવામાં આવે છે.
આ પણ વાંચો:Dharma / રોજ મંદિર કેમ જવું જોઈએ, આવો જાણીએ તેના વૈજ્ઞાનિક લાભ……
આ પણ વાંચો:સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?