ગુજરાત/ નવ મહાનગરોની શાળાઓમાં મધ્યાન ભોજન યોજના શરુ

શાળાઓ શરૂ થઇ છે. તેની સાથે માધ્યન ભોજનની સુવિધા પણ આવતીકાલ ૨૯મી માર્ચ, ૨૦૨૨ના રોજથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભૂજ, વડોદરા, જામનગર, નવસારી, સુરત અને ગાંધીનગર ખાતે આ યોજનાનો આરંભ શાળાઓમાં થશે.

Top Stories Gujarat Others
Untitled 35 43 નવ મહાનગરોની શાળાઓમાં મધ્યાન ભોજન યોજના શરુ

ગુજરાત રાજ્યમાં કોરોના કાળમાં શાળાઓ બંધ કરવામાં આવી હતી. અને ઓનલાઈન શિક્ષણની પદ્ધતિ શરુ કરવામાં આવી હતી. અને બાળકોને પીરસવામાં આવતું મધ્યાન  ભોજન યોજના બંધ કરવામાં આવી હતી. પરંતુ રાજ્યમાં કોરોના કેસમાં ઘટાડો નોધાતા ફરી એક વાર શાળાઓ ધમધમતી થઇ છે. ત્યારે  ભોજન યોજના બંધ હોવાથી અનેક વિધાર્થીઓને હલકી ભોગવવાનો વારો આવ્યો હતો.

રાજયની તમામ શાળાઓમાં મધ્યાન ભોજનનો આરંભ રાજયની તમામ શાળાઓમાં આગામી ગુરૂવારથી કરવામાં આવશે. આવતીકાલથી રાજયના ૯ સ્થળો ખાતે માધ્યાન ભોજનની શરૂઆત કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ના હસ્તે ગાંધીનગરના બોરીજ ખાતેથી આ યોજનાનો આરંભ કરાવવામાં આવશે. જે ૨૯મી માર્ચના રોજ અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભૂજ, વડોદરા, જામનગર, નવસારી, સુરત અને ગાંધીનગર ખાતે આ યોજનાનો આરંભ થશે.

મધ્યાન ભોજન આરંભની વાત કરતા શિક્ષણ મંત્રી જીતુભાઇ વાધાણીએ જણાવ્યું હતું કે, માધ્યન ભોજન થકી વિધાર્થીઓમાં સમૂહ ભોજન સાથે સાથે સમૂહ ભાવ પેદા થાય છે. આ યોજના ૧૬મી માર્ચ, ૨૦૨૦ના રોજથી તમામ શાળાઓમાં કોરોનાકાળના કારણે શાળામાં બંધ કરવામાં આવી હતી.

તેમણે ઉમેર્યું હતું કે,કોરોના કાળના સમય દરમ્યાન શાળાના વિધાર્થીઓને તેમના હકનું ભોજનના નાણાં આજદિન સુધી ૧૩૦૦ કરોડ રૂપિયાની રકમ જમા કરાવવામાં આવ્યા છે. સાથે સાથે ૨ લાખ ૨૬ હજાર મેટ્રિક ટન અનાજ પણ કેન્દ્રની યોજના છે. જે આજદિન સુધી આપવામાં આવી રહી છે. આ વ્યવસ્થા અન્ન અને નાગરિક પુરવઠા દ્વારા કરવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, વિધાર્થીઓના હિતમાં મક્કમતાથી શાળાઓ શરૂ કરવાની રાજય સરકારે પહેલ કરી છે. તેમજ ઓન લાઇન શિક્ષણ બંધ કરીને ઓફ લાઇન શિક્ષણનો આરંભ કરવામાં આવ્યો છે. જેથી વિધાર્થીઓ પોતાની વાર્ષિક પરીક્ષા આપવાના છે.

તેમણે જણાવ્યું હતું કે, શાળાઓ શરૂ થઇ છે. તેની સાથે માધ્યન ભોજનની સુવિધા પણ આવતીકાલ ૨૯મી માર્ચ, ૨૦૨૨ના રોજથી અમદાવાદ, રાજકોટ, ભાવનગર, ભૂજ, વડોદરા, જામનગર, નવસારી, સુરત અને ગાંધીનગર ખાતે આ યોજનાનો આરંભ શાળાઓમાં થશે. તેમજ તમામ રાજયની શાળાઓમાં આગામી ગુરૂવારના રોજની આ યોજનાનો આરંભ કરવામાં આવશે. આ યોજનાની સુચારું વ્યવસ્થા માટે સરકારના હિતમાં માત્ર પાંચ દિવસના આ સમગ્ર પ્રક્રિયાની ટેન્ડરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. માધ્યન ભોજનની સુચારું વ્યવસ્થા ઉભી કરવા સતત પ્રયત્નશીલ રાજયના કર્મનિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા.