Not Set/ રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ નવરાત્રિ બાદ ખોલવાની વિચારણા

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજયોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં ૧૮ કે તેથી વધુ વયજૂથના ૪.૩૦ કરોડ જેટલા નાગરિકોનું વેકિસનેશન થયું છે

Top Stories
chool રાજ્યમાં ધોરણ 1 થી 5ની શાળાઓ નવરાત્રિ બાદ ખોલવાની વિચારણા

ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક  બાદ સરકારે જન્માષ્ટ્રમી પછી બીજી સપ્ટેમ્બરને ગુરૂવારથી ધોરણ ૬થી ૮માં ઓફલાઈન શિક્ષણ શરૃ કરવા શાળાઓને મંજૂરી આપી છે. કેબિનેટની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય સંદર્ભે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ કહ્યું હતું કે , કોરોના ચેપ નિયંત્રણનું  ચુસ્ત પાલન સાથે ૩૦ હજાર શાળાઓમાં ૫૦ ટકા કેપેસિટીમાં પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૃ થશે. માધ્યમિક અને ઉચ્ચમાધ્યમિક ઓફલાઈન શિક્ષણ બાદ ઓકટોબરમાં નવરાત્રિના તહેવાર બાદ ધોરણ ૧થી પાંચ માટે પણ કલાસરૃમમાં શિક્ષણ શરૃ કરવાની વિચારણા છે.

ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા સહિતના અનેક રાજયોમાં પહેલાથી જ પ્રાથમિક શાળાઓ ખૂલી ગઈ છે. સંભવિત થર્ડ વેવ પહેલા ગુજરાતમાં ૧૮ કે તેથી વધુ વયજૂથના ૪.૩૦ કરોડ જેટલા નાગરિકોનું વેકિસનેશન થયું છે. એકાદ મહિનામાં ૧૨થી ૧૮ વર્ષના બાળકો માટે પણ વેકિસનેશન શરૃ થવાની શકયતાઓ વચ્ચે સપ્ટેમ્બર મહિનાના  કોવિડ–૧૯ના ચેપના ફેલાવાની સમીક્ષા કર્યા બાદ પાંચમા ધોરણથી નીચેના કલાસરૃમ માટે શાળાઓ ખોલવાનો નિર્ણય લેવાશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી કેબિનેટની બેઠક બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ મીડિયા સમક્ષ કહ્યું કે, મંત્રીમંડળના નિર્ણયથી રાયમાં ર૦ હજારથી વધુ સરકારી સહિત કુલ ૩૦ હજાર શાળાઓમાં ધોરણ ૬થી આઠમાં કુલ ૩૨ લાખ વિધાર્થીઓ માટે બીજી સપ્ટેમ્બરને ગુવારથી  શિક્ષણ શરૂ થશે. આ વર્ગેા વિધાર્થીઓની સંખ્યાના ૫૦ ટકા ક્ષમતા સાથે શરૃ કરવામાં આવશે.

તેના માટે વાલીઓનો સંમતિપત્ર અનિવાર્ય છે. જે વાલી સંમતિ આપે તેમના બાળકોને જ પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું રહેશે. હાલમાં જે રીતે ઓનલાઈન શિક્ષણ ચાલે છે તે પણ શાળાઓ શરૃ થયા પછી યથાવત્ જ રહેશે. ધોરણ ૯થી ૧૨ના વર્ગેામાં જે રીતે શિક્ષણકાર્ય ચાલે છે અને તેના માટે જે પ્રમાણે નિયમ છે તે પ્રમાણે જ અમલીકરણ રહેશે. કોરોના ચેપ નિયંત્રણ માર્ગર્દિશકા છે તેનો ધોરણ ૬થી ૮ના વિધાર્થીઓ માટે શાળાઓએ ચુસ્ત અમલ કરવાનો રહેશે