અમેરિકાનાં ન્યૂયોર્ક સિટીથી પશ્ચિમમાં આશરે 80 કિ.મી.નાં અંતરે આવેલા એન્ડોવરમાં લાશોનાં ઢગલા મળવાનાં સમાચારથી સનસનાટી ફેલાઇ ગઇ છે. યુ.એસ. પોલીસને આશરે 17 શબ મળી આવ્યા છે, માનવામાં આવે છે કે તે કોરોના વાયરસથી મોતને ભેટી ગયા છે. ન્યૂજર્સી હેઠળનાં એન્ડોવરનાં નર્સિંગ હોમનાં મુર્દાઘરની પાછળ આ શવ મળી આવ્યા છે. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીનાં ટ્રેકરનાં જણાવ્યા મુજબ ગુરુવાર સુધીમાં યુ.એસ.માં કોવિડ-19 ને કારણે થયેલા મોતની સંખ્યા 32,000 પર પહોંચી ગઈ છે.
ન્યૂયોર્ક ટાઇમ્સ અનુસાર, તાજેતરની ઘટનાઓ હોસ્પિટલો હાઉસફૂલ બન્યા છે તે સાબિત કરવા માટે પૂરતી છે. આ મૃતદેહો સોમવારે એન્ડોવર સબાક્યૂટ અને રિહેબિલિટેશન યુનિટમાંથી મળી આવ્યા હતા અને આ ન્યૂજર્સીનું સૌથી મોટું નર્સિંગ હોમ છે. ન્યૂજર્સી રાજ્ય કોરોનાથી ખૂબ પ્રભાવિત થયું છે. આ 17 લોકોનાં મોતનું કારણ શું છે તે વિશે હજી સુધી કોઈ માહિતી મળી નથી. ટાઇમ્સે અહેવાલ આપ્યો છે કે આ નર્સિંગ હોમમાં 68 લોકોનાં મોત થયા છે અને 26 કોવિડ-19 ને કારણે મૃત્યુ પામ્યા છે. પોલીસે તેમને કેટલી લાશ મળી છે તેની સત્તાવાર પુષ્ટિ કરી નથી.
એન્ડોવર પોલીસનાં ફેસબુક પેજ પર, નર્સિંગ હોમનાં માલિકોમાંના એક, ચૈમ શેઇનબોમે જણાવ્યું હતું કે મુર્દાઘરમાં જ્યાં સામાન્ય રીતે ચાર મૃતદેહો હોય છે, ત્યાં તેમણે ક્યારેય 15 થી વધુ લાશો એક સાથે જોઇ નથી. એન્ડોવર પોલીસ ચીફ એરિક ડેનિયલ્સને સીએનએનને કહ્યું કે તે સ્પષ્ટ છે કે સ્ટાફ પર અતિશય દબાણ છે અને અહીંનો સ્ટાફ સંભવત ઓછો છે. ન્યૂજર્સીનાં ગવર્નર ફિલ મર્ફીએ કહ્યું કે તેમને આ વાતનો ખૂબ ગુસ્સો છે કે મૃતકોને આ રીતે પડી રાખવાની છૂટ આપવામાં આવી. તેમણે આ ઘટનાની તપાસનાં આદેશ આપ્યા છે. ન્યૂયોર્ક પછી, ન્યૂજર્સી પર કોરોનાનો સૌથી વધુ કહેર જોવા મળી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.