વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. દરમ્યાન, સમગ્ર વિશ્વમાં કોરોનાનાં કેસ વધીને 18.99 કરોડ થઇ ગયા છે. આ મહામારીનાં કારણે અત્યાર સુધીમાં 40.8 લાખથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે અને 3.59 અબજથી વધુ લોકોને રસી આપવામાં આવી છે.
સાંબેલાધાર વરસાદ / ઉમરગામમાં 2 કલાકમાં 8.5 ઇંચ વરસાદ, અમદાવાદ-ગાંધીનગરમાં લોકો બફારાથી કંટાળ્યા
રવિવારે સવારે યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (સીએસએસઇ) એ તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું હતું કે, હાલનાં વૈશ્વિક કેસો, મૃત્યુઆંક અને વહીવટી રસીઓની સંખ્યા અનુક્રમે 18,99,24,297, 40,81,385 અને 3,59,61,83,765 છે. સીએસએસઇ અનુસાર, વિશ્વનાં સૌથી વધુ અસરગ્રસ્ત દેશમાં અમેરિકા આજે પણ પ્રથમ સ્થાને છે. અહી કોરોનાનાં કેસ અને મોતનો આંક ક્રમશઃ 3,40,67,424 અને 6,08,881 નોંધાયા છે. કોરોના સંક્રમણનાં મામલે ભારત 3,10,64,908 કેસો સાથે બીજા ક્રમે છે. સીએસએસઇનાં ડેટા મુજબ, 30 લાખથી વધુ કેસ ધરાવતા અન્ય સૌથી વધુ અસરગ્રસ્ત દેશોમાં બ્રાઝિલ (1,93,42,448), ફ્રાંસ (59,17,397), રશિયા (58,60,113), તુર્કી (55,22,039), યુકે (54,07,428), આર્જેન્ટિના (47,49,443), કોલમ્બિયા (46,21,260) ), ઇટાલી (42,84,332), સ્પેન (41,00,222), જર્મની (37,51,253) અને ઈરાન (35,01,079) છે. જ્યારે કોરોનાથી થયેલા મોતનાં મામલે બ્રાઝિલ 5,41,266 કેસો સાથે બીજા નંબરે છે. જ્યારે ભારતમાં (4,13,091), મેક્સિકોમાં (2,36,015), પેરુમાં (1,94,935), રશિયામાં (1,45,222), યુકેમાં (1,28,960), ઇટાલીમાં (1,27,864), ફ્રાંસમાં (1,11,657), કોલમ્બિયામાં (1,15,831) અને આર્જેન્ટિનામાં (1,01,434) 1,00,000 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.
મહામારીનો ભય / ઈન્ડોનેશિયા કોરોનાનાં મામલે હવે બ્રાઝિલને છોડી રહ્યુ છે પાછળ
કોરોનાની બીજી લહેર હજી પણ દેશભરમાં યથાવત છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાનાં 41,157 કેસની પુષ્ટિ થઈ છે અને 518 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આરોગ્ય મંત્રાલયે જાહેર કરેલા તાજેતરનાં આંકડા મુજબ, દેશભરમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા વધીને 3,11,06,0265 થઈ ગઇ છે અને મૃત્યુઆંક 4,13,609 પર પહોંચી ગયો છે. રવિવારે સવારે 8 વાગ્યા સુધી કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયનાં અપડેટ ડેટા મુજબ, સારવાર હેઠળ દર્દીઓની સંખ્યા ઘટીને 4,22,660 થઈ ગઈ છે, જે સંક્રમણનાં કુલ કેસોનાં 1.36 ટકા છે. કોવિડ-19 થી ઠીક થતા લોકોનો રાષ્ટ્રીય દર 97.31 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 1,365 દર્દીઓ સંક્રમણ મુક્ત બન્યા છે. શનિવારે, કોવિડ-19 માટે 19,36,709 સેેમ્પોલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું અને આ સાથે આ રોગચાળાની તપાસ માટે અત્યાર સુધી ટેસ્ટ કરવામાં આવેલા સેમ્પલોની સંખ્યા 44,39,58,663 થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ, આ રોગમાંથી ઠીક થનારા લોકોની સંખ્યા વધીને 3,02,69,796 થઈ ગઇ છે. જ્યારે મૃત્યુ દર 1.33 ટકા છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત રસીનાં કુલ 40.49 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ગયા વર્ષે ઓગસ્ટનાં રોજ દેશમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 20 લાખ, 23 ઓગસ્ટનાં રોજ 30 લાખ અને 5 સપ્ટેમ્બરનાં રોજ 40 લાખથી વધુ થઇ ગઇ હતી. વળી, સંક્રમણનાં કુલ કેસો 16 સપ્ટેમ્બરનાં રોજ 50 લાખ, 28 સપ્ટેમ્બરનાં રોજ 60 લાખ, 11 ઓક્ટોબરે 70 લાખ, 29 ઓક્ટોબરે 80 લાખ, 20 નવેમ્બરનાં રોજ 90 લાખને પાર થયા છે. દેશમાં, આ કેસો 19 ડિસેમ્બરનાં રોજ એક કરોડને વટાવી ગયા, 4 મેનાં રોજ બે કરોડ અને 23 જૂને ત્રણ કરોડને પાર કરી ગયા હતા.