દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના બે લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના 5488 કેસ નોંધાયા છે.દેશમાં કોરોના વાયરસ રોગચાળાની ગતિ બેકાબૂ બની રહી છે. આ સાથે, કોરોનાના સૌથી ખતરનાક પ્રકાર ઓમિક્રોનના કેસ પણ ઝડપથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના બે લાખ 47 હજાર 417 નવા કેસ નોંધાયા છે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના અત્યાર સુધીમાં 5488 કેસ નોંધાયા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી દર હવે 13.11% છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 11 લાખ 17 હજાર 531 થઈ ગઈ છે. માહિતી અનુસાર, ગઈકાલે 84 હજાર 825 લોકો સાજા થયા હતા, ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 47 લાખ 15 હજાર 361 લોકો ચેપ મુક્ત થઈ ગયા છે.
भारत में पिछले 24 घंटों में कोरोना वायरस के 2,47,417 नए मामले आए और 84,825 रिकवरी हुईं। सक्रिय मामलों की संख्या 11,17,531 है। #COVID19
देश में दैनिक पॉजिटिविटी रेट अब 13.11% है। pic.twitter.com/MuK8hAfy9X
— ANI_HindiNews (@AHindinews) January 13, 2022
ભારતમાં છેલ્લા 24 કલાકમાં ગુરુવારે 2,47,417 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 50,000 થી વધુ કેસના આ વધારા સાથે, ભારતે લગભગ આઠ મહિનામાં પ્રથમ વખત 2 લાખ કેસનો આંકડો પાર કર્યો છે. રાજસ્થાનમાં બુધવારે લગભગ 10,000 નવા કેસ સાથે મોટા પ્રમાણમાં વધારો જોવા મળ્યો હતો જ્યારે યુપીના પ્રયાગરાજમાં માઘ મેળામાં 38 દર્દીઓને કોરોના મળી આવ્યા છે.