વૈશ્વિક કોરોના વાયરસનાં કેસ હવે 23.82 કરોડથી વધુ થઈ ગયા છે. અત્યાર સુધીમાં આ મહામારીનાં કારણે 48.5 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 6.49 અબજથી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. મંગળવારે સવારે તેના તાજેતરનાં અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો છે કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 238,237,900, 4,856,841 અને 6,492,184,851 છે. CSSE નાં જણાવ્યા અનુસાર, વિશ્વમાં સૌથી વધુ કેસ અને મૃત્યુ 44,453,347 અને 714,058 સાથે અમેરિકા આજે પણ ટોપ પર છે. કોરોના સંક્રમણની બાબતમાં ભારત 33,971,607 કેસ સાથે બીજા ક્રમે છે.
આ પણ વાંચો – Afaghanistan Cricket / શું ICC અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પ્રતિબંધિત કરશે? CEO એ ટી 20 વર્લ્ડ કપ વિશે મોટું નિવેદન આપ્યું
દેશમાં કોરોનાનાં કેસ સતત ઓછા થઇ રહ્યા છે. છેલ્લા એક દિવસમાં માત્ર 14,313 નવા કેસ મળી આવ્યા છે. આ આંકડો છેલ્લા 224 દિવસમાં સૌથી ઓછો છે. આ બતાવે છે કે કોરોનાથી આ કેટલી મોટી રાહત છે. આ સાથે, કોરોનામાંથી રિકવરી રેટ પણ 98.04 ટકા થઈ ગયો છે, જે માર્ચ 2020 પછીનો સૌથી ઉંચો સ્તર છે. એટલું જ નહીં, એક્ટિવ કેસોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. એક તરફ, નવા કેસ માત્ર 14 હજારથી વધુ છે, જ્યારે આ સમયગાળા દરમિયાન 26,579 લોકો ઠીક થયા છે. આને કારણે, એક્ટિવ કેસોની સંખ્યા ઝડપથી ઘટીને માત્ર 2,14,900 થઈ ગઈ છે. એક્ટિવ કેસોનો આ આંકડો છેલ્લા 212 દિવસમાં સૌથી ઓછો છે. અત્યાર સુધીમાં દેશમાં 3 કરોડ 33 લાખથી વધુ લોકોએ કોરોના સંક્રમણને હરાવ્યું છે. એટલું જ નહીં, કોરોનાનાં કેસોમાં ઘટાડો થવાને કારણે, સાપ્તાહિક પોઝિટિવિટી રેટ પણ સતત ઘટી રહ્યો છે. અત્યારે આ દર માત્ર 1.48 ટકા છે. છેલ્લા 109 દિવસથી આ આંકડો 3 ટકાથી ઓછો રહ્યો છે. હવે જો આપણે દૈનિક પોઝિટિવિટી રેટ વિશે વાત કરીએ, તો તે માત્ર 1.21 ટકા છે, જે છેલ્લા 43 દિવસથી 3 ટકાથી ઓછો રહ્યો છે. કેરળ, મહારાષ્ટ્ર, કર્ણાટક, તામિલનાડુ જેવા રાજ્યોમાં પણ કોરોનાનાં કેસોમાં ઘટાડો થવાને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે.
Out of 14,313 new #COVID19 cases and 181 deaths reported in India, Kerala reported 6,996 cases and 84 deaths yesterday.
— ANI (@ANI) October 12, 2021
આ પણ વાંચો – આર્યન ખાન ડ્રગ્સ કેસ / કંગના રનૌતે પોતાની પોસ્ટ મારફતે શાહરૂખ ખાન પર કર્યા પ્રહાર, કહ્યું, -જેકી ચાને તેના પુત્રની ધરપકડ….
કોરોના વાયરસ સંક્રમણનાં કેસોમાં આ ઘટાડો થવાનું એક કારણ રસીકરણ પણ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં દેશમાં 95.89 કોરોના રસીઓ આપવામાં આવી છે. સરકારે જાહેરાત કરી છે કે આ વર્ષનાં અંત સુધીમાં દેશનાં તમામ પુખ્ત વયનાં લોકોને કોરોના સામે રસી આપવામાં આવશે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખી શકાય છે કે આ વર્ષનાં અંત સુધીમાં કોરોનાની ઝડપ ઘણી હદે ઘટી જશે. એટલું જ નહીં, કોરોનાનાં કેસોમાં ઘટાડાને કારણે તહેવારોની સીઝન પહેલા અર્થતંત્રને પણ રાહત મળી છે. GDP નાં આંકડા પણ આ વાતની સાક્ષી પૂરે છે.
