દેશમાં કોરોના વાયરસનો કહેર યથાવત છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 66,732 નવા કેસ નોંધાયા છે અને આ સમયગાળા દરમિયાન 816 દર્દીઓનાં મોત નીપજ્યાં છે.
પોઝિટિવ કેસોની કુલ સંખ્યા હવે 71,20,539 છે, જેમાં 8,61,853 સક્રિય કેસ, 61,49,536 રિકવર કેસ, 1,09,150 મોત સામેલ છે. મંત્રાલયનું કહેવું છે કે, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ અને તામિલનાડુંમાં કોરોના વાયરસનાં સક્રિય કેસો, મૃત્યુદર અને રિકવરી દરની ટકાવારી સૌથી વધુ છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર) નાં જણાવ્યા અનુસાર 11 ઓક્ટોબર સુધીમાં કોરોના વાયરસ માટે કુલ 8,78,72,093 સેમ્પલોને ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાથી 9,94,851 સેમ્પલોનું રવિવારે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે.
India’s #COVID19 tally crosses 71-lakh mark with a spike of 66,732 new cases & 816 deaths reported in the last 24 hours.
Total case tally stands at 71,20,539 including 8,61,853 active cases, 61,49,536 cured/discharged/migrated cases & 1,09,150 deaths: Union Health Ministry pic.twitter.com/fztD9lijaz
— ANI (@ANI) October 12, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.