Devbhumi Dwarka News/ જામ કલ્યાણપુરના સતાપર ગામે પતી પત્નીનો ઝેરી દવા પી સજોડે આપઘાત

અગ્રમય કારણોસર આપઘાત કરીને મોતને વ્હાલું કરતા ભારે ખળભળાટ

Top Stories Gujarat Breaking News

Devbhumi Dwarka News : જામખંભાળીયાના જામ કલ્યાણપુરના ,સતાપર ગામમાં પતિ પત્નીએ સજોડેઆપઘાત કરી લેતા આ વિસ્તારમાં ચકચાર મચી છે. ખેતમજુરી કરતા આ દંપતીએ સજોડે જીવન ટુંકાવ્યું હતું. તપાસમાં મહિલાનું નામ 36 વર્ષીય ઉષાબેન અને તેમના પતિનું નામ દિનેશ સુકાભાઈ રાઠોડ હોવાનું બહાર આવ્યું છે.

આ આદિવાસી યુગલે ઝેરી દવા પી લઈને આત્મહત્યા કરી લીધી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ દંપતીએ અગમ્ય કારણોસર જીવન સંકેલી લેતા ખળભળાટ મચી ગયો છે. આ દંપતી બારડોલી તાલુકાના મોવાછી ગામના હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.

કલ્યાણપુર પોલીસે આ પતિ પત્નીના આપઘાત અંગે વધુ તપાસ હાથ ધરી છે. બીજીતરફ બન્નેના મૃતદેહ જામ ખંભાળીયાની જનરલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કંડલા પોર્ટમા 2 દુર્ઘટના બની, તરતી જેટી દરિયામાં ગરકાવ થઈ, અને જેટી નં. 7 ક્રેનમાં આગ ભભૂકી, પોર્ટ પ્રશાસનમાં મચી દોડધામ

આ પણ વાંચો: જાફરાબાદના બાબરકોટ ગામ નજીક કચરાનું રિસાયક્લિંગ કરતા કારખાનામાં વિકરાળ આગ

આ પણ વાંચો: દક્ષિણ કોરિયાના જંગલોમાં આગનું તાંડવ, 1300 વર્ષ જૂનો બૌદ્ધ મઠ બળીને રાખ, અત્યાર સુધીમાં 18ના મોત