ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021 માટે 18 ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ખેલાડીઓની બોલી લગાવવામાં આવશે, ત્યારે આઈપીએલની 14 મી સિઝન માટે આ મીની હરાજી થશે. આ હરાજીમાં, તમામ ફ્રેન્ચાઇઝી તેમની સંબંધિત ટીમો માટે નવા ખેલાડીઓની શોધ કરશે.
બીજી તરફ ચેન્નઈ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ બે મેચનું આયોજન કરશે. બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે અને બીજા દિવસે આઈપીએલની હરાજી થશે.

આપને જણાવી દઈએ કે ખેલાડીઓ જાળવી રાખવાની છેલ્લી તારીખ 20 જાન્યુઆરી હતી જ્યારે ટ્રેડિંગ વિંડો (ખેલાડીઓની એક ટીમથી બીજી ટીમમાં સ્થાનાંતર) 4 ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે. ટીમોમાંથી મુક્ત કરાયેલા ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ (રાજસ્થાન રોયલ્સ) અને ગ્લેન મેક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ) જેવા દિગ્ગજ શામેલ છે.
તાજેતરમાં તમામ ટીમોએ તેમના કેટલાક ખેલાડીઓને મુક્ત કર્યા હતા, જેમાં સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલ જેવા મોટા નામનો સમાવેશ થાય છે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ છે કે સીઝન -14 ની હરાજીમાં તમામ ટીમો પોતા માટે કઈ વ્યૂહરચના બનાવે છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
