રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણનાં કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન દિલ્હીનાં લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ કોરોના પોઝિટિવ હોવાના અહેવાલ છે. તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે આ માહિતી ટ્વીટ કરી હતી. અનિલ બૈજલે લખ્યું- મને હળવા લક્ષણોની સાથે કોવિડ માટે પોઝિટિવ ટેસ્ટ કર્યું છે. લક્ષણોની શરૂઆતથી, મેં પોતાને અલગ કરી દીધા છે અને જે લોકો મારા સંપર્કમાં હતા તેઓએ તેમનો ટેસ્ટ કરાવવો જોઈએ. તેઓ તેમના નિવાસસ્થાનથી દિલ્હીમાં કામ કરવાનું ચાલુ રાખશે.
રસીની લડત / હજુ અમારી પાસે નથી પહોંચી વેક્સિન, લોકોને અપીલ લાઇનમાં ન લાગે: CM કેજરીવાલ
આપને જણાવી દઈએ કે, દિલ્હીમાં કોરોનાનાં કારણે થતાં મૃત્યુમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગુરુવારે દિલ્હી સરકારે કહ્યું કે, છેલ્લા 24 કલાક દરમિયાન દિલ્હીમાં કોરોનાને કારણે 395 લોકોનાં મોત નીપજ્યાં છે. કોરોનાને કારણે થયેલા મોતનો આ એક નવો રેકોર્ડબ્રેક આંક છે. દિલ્હીમાં આ પહેલા આટલી મોટી સંખ્યામાં કોરોના દર્દીઓનાં મોત થયા નથી. મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ કહે છે કે હવે પહેલાની જેમ દિલ્હીમાં ડરનું વાતાવરણ નથી. જો કે, મુખ્યમંત્રીશ્રીએ આપેલી આ ખાતરી છતાં પણ મોટી સંખ્યામાં કોરોના દર્દીઓ મરી રહ્યા છે. દિલ્હીમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધીમાં કુલ 15,772 વ્યક્તિઓનાં મોત નીપજ્યાં છે. દિલ્હીમાં હાલમાં 97,977 એક્ટિવ કોરોનાનાં દર્દીઓ છે. તેમાંથી, 53,440 કોરોના દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે. બાકીનાં કોરોના દર્દીઓને અલગ-અલગ ખાનગી હોસ્પિટલો ઉપરાંત કોરોના સુવિધા કેન્દ્રોમાં દાખલ કરવામાં આવ્યા છે. દિલ્હીમાં લાગુ લોકડાઉન હોવા છતાં, કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
I have tested positive for COVID with mild symptoms.
Have isolated myself since the onset of symptoms and all those who were in contact with me have been tested.
Will continue to function and monitor the situation in Delhi from my residence.— LG Delhi (@LtGovDelhi) April 30, 2021
બ્રેકિંગ ન્યૂઝ / જાણીતા પત્રકાર રોહિત સરદાના કોરોના સામે જંગ હાર્યા
મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુરુવારે કોરોના નિવારણ માટેનાં રસીકરણ કાર્યક્રમ સંદર્ભે મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. દિલ્હી આરોગ્ય વિભાગનાં નવીનતમ બુલેટિન મુજબ, દિલ્હીમાં કોરોનાનાં કુલ 11,22,286 કેસ નોંધાયા છે, જેમાં કોરોનાથી અત્યાર સુધીમાં 10,08,537 કેસ મળી આવ્યા છે, એક્ટિવ કેસ 97,977 અને કુલ 15,772 મોત થયા છે. દિલ્હીમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ 32.82 ટકા છે. દિલ્હીમાં હાલમાં એક્ટિવ કોરોના દર્દીઓની સંખ્યા 97,977 છે. દિલ્હીમાં હોમ આઇસોલેશનમાં 53,440 દર્દીઓનો સમાવેશ થાય છે.

