Gujarat News/ કુપોષણ પર કરોડો ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષમાં 18,231 નવજાત બાળકોના મોત

ગુજરાતમાં માતાના પોષણના નામે લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, છતાં જન્મ સમયે ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતા કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે.

Top Stories Gujarat
1 2025 03 31T142252.798 કુપોષણ પર કરોડો ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષમાં 18,231 નવજાત બાળકોના મોત

Gujarat News: કુપોષણ મુક્ત ગુજરાતનો નારો ગુંજારવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, કુપોષણ પર કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, પરંતુ બાળ મૃત્યુદરમાં કોઈ સુધારો થયો નથી. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં જન્મના 24 કલાકની અંદર 18,231 નવજાત શિશુઓ મૃત્યુ પામ્યા છે. આ ઉપરાંત, 83,538 નવજાત શિશુઓ એક વર્ષ પણ જીવી શક્યા નથી. આમ, ગુજરાત સરકાર કુપોષણને કાબુમાં લેવામાં ખરાબ રીતે નિષ્ફળ ગઈ છે.

ગુજરાતમાં માતાના પોષણના નામે લાખો કરોડ રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે, છતાં જન્મ સમયે ઓછું વજન અને અપૂરતી વૃદ્ધિ ધરાવતા કુપોષિત બાળકોની સંખ્યા વધી રહી છે. આ સાથે, નવજાત શિશુઓનો મૃત્યુદર પણ વધી રહ્યો છે જે ચિંતાનો વિષય બન્યો છે. ગુજરાત સરકારે 509 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે, છતાં આજે ગુજરાતમાં 5.40 લાખ બાળકો કુપોષિત છે.

શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા 2025 03 31T142431.800 કુપોષણ પર કરોડો ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષમાં 18,231 નવજાત બાળકોના મોત

પૂરતા આહાર-વિટામિનથી કુપોષણની ઘટનાઓમાં ઘટાડો થયો નથી. કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવી રહ્યું હોવા છતાં, કુપોષણ સામેની લડાઈમાં ગુજરાત અન્ય રાજ્યો કરતાં ઘણું પાછળ છે. CAG રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 2017-18 થી 2022-23 દરમિયાન જન્મના 24 કલાકમાં મૃત્યુ પામેલા નવજાત શિશુઓની સંખ્યા 18,231 છે. આનો અર્થ એ થયો કે દર વર્ષે હોસ્પિટલમાં સરેરાશ 3000 શિશુઓ મૃત્યુ પામે છે. પાંચ વર્ષમાં, 83,538 નવજાત શિશુઓ સારવાર છતાં એક વર્ષ પણ જીવી શક્યા નહીં.

ઓછા જન્મ વજન-અપૂરતી વૃદ્ધિને કારણે નવજાત શિશુઓ મૃત્યુ પામે છે. આ સમયગાળા દરમિયાન, 8,12,886 નવજાત શિશુઓ જન્મ્યા જેનું વજન અઢી કિલોથી ઓછું હતું. જ્યારે માતાઓને પોષણયુક્ત ખોરાક મળતો નથી, ત્યારે કુપોષિત બાળકો જન્મે છે. રાષ્ટ્રીય પોષણ મિશન માર્ગદર્શિકા 2017 અનુસાર, ઓછા જન્મ વજનવાળા શિશુઓના મૃત્યુ દરમાં કોઈ ઘટાડો થયો નથી. આજે પણ ગુજરાતમાં 2.5 કિલોથી ઓછા વજનવાળા નવજાત શિશુઓની ટકાવારી 11.63 છે. આમ, નવજાત શિશુઓનો મૃત્યુદર ચિંતાજનક દરે વધી રહ્યો છે, ત્યારે કુપોષણ મુક્ત ગુજરાતની કડવી વાસ્તવિકતાનું ચિત્ર સામે આવ્યું છે.

શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા 2025 03 31T142524.765 કુપોષણ પર કરોડો ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષમાં 18,231 નવજાત બાળકોના મોત

ગંભીર કુપોષણથી પીડાતા નવજાત શિશુઓને વધુ સારવાર આપવા માટે પોષણ પુનર્વસન કેન્દ્રો સ્થાપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. CAG એ જણાવ્યું હતું કે સાત જિલ્લાઓમાં આવી કોઈ આરોગ્ય સુવિધા સ્થાપિત કરવામાં આવી નથી, જ્યારે શિશુ મૃત્યુદર ઘટાડવા માટે અરવલ્લી, બોટાદ, દ્વારકા, ગીર સોમનાથ, મહિસાગર, મોરબી અને પોરબંદરમાં પોષણ પુનર્વસન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા નથી.

શાહરૂખ ખાને PM મોદીને અભિનંદન આપ્યા 2025 03 31T142653.787 કુપોષણ પર કરોડો ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષમાં 18,231 નવજાત બાળકોના મોત

કુપોષિત નવજાત શિશુઓની ઓળખ કરવામાં આવી હતી, જેમાંથી 8.82 લાખ શિશુઓ ગંભીર કુપોષણથી પીડાતા હોવાનું જાણવા મળ્યું હતું. આરોગ્ય કર્મચારીઓએ શિશુઓના સ્વાસ્થ્યની તપાસ કરવા માટે ઘરે ઘરે જઈને તપાસ કરવાની હતી, પરંતુ ફક્ત 94,000 શિશુઓની તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત, 1.63 લાખ શિશુઓને કુપોષણ સારવાર કેન્દ્રોમાં લઈ જવામાં આવ્યા હતા. આમ, શિશુઓના સ્વાસ્થ્યની તપાસમાં સંપૂર્ણ બેદરકારી દાખવવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:PMJAY-મા યોજનાની જરૂરી માહિતી મેળવવા ટોલ ફ્રી નંબર જાહેર

આ પણ વાંચો:PMJAY મા ગેરરીતિ મામલે જુનાગઢની 8 હોસ્પિટલોને કલેક્ટરે નોટિસ ફટકારી

આ પણ વાંચો:PMJAY નવી SOP મુજબ સારવારમાં video રેકોર્ડીગ સાથેનું સંમતિ પત્રક ફરજીયાત, SAFU ટીમ કાર્યરત