દેવજી ભરવાડ, મંતવ્ય ન્યુઝ@ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જીલ્લા ના દાણાવાડા અને નગરા ગામ મા વસતા વિચરતી અમે વિમુક્ત જાતિઓ ના ડફેર પરિવારો ઝુંપડા બાંધીને રહે છે. સમગ્ર દેશમા જયારે કોરોના મહામારી ચાલી રહી છે, અને સરકાર દ્રારા મીની લોકડાઉન જાહેર કરેલ છે. ત્યારે રોજનુ લાવી રોજ ખાનાર પરિવારોની હાલત કફોડી થઈ ગઈ છે.
આવા સમયે ઝાલાવાડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ ના સહયોગ દ્રારા ૩૦ પરિવારો ને રાશનકીટનુ વિતરણ વિચરતા સમુદાય સમર્થન મંચના હષઁદ કે. વ્યાસના હસ્તે કરવામા આવ્યુ. રાશનકીટ મળતા આ પરિવારોના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.