ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને મોટો ફટકો પડી શકે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ તમામે ચૂંટણી પ્રચાર શરુ કરી દીધો છે. ત્યારે કોંગ્રેસ માટે અ ચૂંટણી લોઢાના ચણા જેઈ સાબિત થઇ શકે છે.
આંતરિક વિખવાદે પહેલે થી જ કોંગ્રેસને નબળી બનાવી છે. તો બીજી બાજુ સત્તાધારી ભાજપે પ્રચાર શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસે હજુ ચૂંટણીની રણનીતિ નક્કી કરવાની બાકી છે. આ સિવાય રાજ્યમાં આમ આદમી પાર્ટી પણ મજબૂત થઈ રહી છે. રાજ્યમાં વર્ષના અંતમાં ચૂંટણી યોજાવાની છે.
તો ગુજરાતમાં કોંગ્રેસને સૌથી વધુ નુકસાન ભાજપના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ કરીશકે છે. દ્રૌપદી મુર્મ ને NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાથી કોંગ્રેસની ‘ખામ’ થિયરીનું ગણિત બગડી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સામે પડકાર ભાજપને સત્તા પરથી હટાવવા કરતાં તેના પ્રદર્શનનું વધુ પુનરાવર્તન કરવાનો છે. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસ 77 બેઠકો જીતીને ભાજપને 99 બેઠકો પરથી રોકવામાં સફળ રહી હતી. પરંતુ, છેલ્લા પાંચ વર્ષમાં પાર્ટી નબળી પડી છે. હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીગ્નેશ મેવાણીની ત્રિપુટી વિખેરાઈ ગઈ છે. હવે માત્ર જીગ્નેશ જ પાર્ટી સાથે બચ્યો છે.
પાટીદાર ગણિત ખોટું પડી રહ્યું છે.
કોંગ્રેસના વરિષ્ઠ પાટીદાર સમાજના નેતા નરેશ પટેલને સામેલ કરીને સૌરાષ્ટ્રમાં વધુ સારા દેખાવની આશા હતી, પરંતુ પટેલે રાજકારણમાં જોડાવાનો ઇનકાર કરીને વ્યૂહરચના બગાડી. સૌરાષ્ટ્રની ત્રણ ડઝન જેટલી બેઠકો પર પાટીદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. નરેશ પટેલના ઇનકાર પછી, પાર્ટીએ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના ખામ (ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ)ને યાદ કર્યા.
આદિવાસી મતદારો કોંગ્રેસની સાથે રહ્યા છે
પાર્ટીએ ‘ખામ’ને કેન્દ્રમાં રાખીને પરિષદો અને અન્ય કાર્યક્રમો પણ શરૂ કર્યા. ગુજરાતમાં લગભગ 14 ટકા ક્ષત્રિયો, 8 ટકા દલિત, 15 ટકા આદિવાસી અને 10 ટકા મુસ્લિમો છે. આદિવાસી મતદારો કોંગ્રેસની તરફેણમાં મતદાન કરી રહ્યા છે. 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 27માંથી 14 આદિવાસી બેઠકો જીતી હતી. જ્યારે ભાજપને 9 બેઠકો મળી હતી. ભારતીય ટ્રાઇબલ પાર્ટીને બે બેઠકો મળી હતી. આથી કોંગ્રેસને આદિવાસી બેઠક પર વધુ સારા દેખાવની અપેક્ષા હતી.
આદિવાસી મતદારોને મુર્મુની ઉમેદવારીનો સંકેત
ભારતીય જનતા પાર્ટીએ દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવીને ગુજરાતના આદિવાસી મતદારોને સ્પષ્ટ સંદેશો આપ્યો છે. ભાજપના આ પગલા અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય જનતા પાર્ટીએ અમારા પક્ષ કરતાં આદિવાસી મતદારો પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પ્રથમ આદિવાસી મહિલાને પ્રમુખ બનાવવી એ પણ આ વ્યૂહરચનાનો એક ભાગ છે. જો કે ચૂંટણીમાં તેનો કેટલો ફાયદો થશે તે કહેવું મુશ્કેલ છે.
CBSE Syllabus/ CBSE એ પુસ્તકમાંથી ઇસ્લામ અને મુઘલ સામ્રાજ્યના ઉદયને કર્યો દૂર