Earthquake/ દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં ભૂકંપના આંચકા, અઠવાડિયામાં બીજી વખત ધ્રૂજી ધરતી

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.4 માપવામાં આવી છે. મળતી માહિતી મુજબ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ઉત્તરાખંડમાં આજે બે વખત ધરતી ધ્રૂજી ઉઠી હતી. એક […]

Top Stories India
દિલ્હી-NCR

દિલ્હી-NCRમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપ બાદ લોકો ઘરો અને ઓફિસોમાંથી બહાર દોડી આવ્યા હતા. આજે ઉત્તરાખંડના ઋષિકેશમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા 3.4 માપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. આ સાથે ઉત્તરાખંડમાં આજે બે વખત ધરતી ધ્રૂજી ઉઠી હતી. એક અઠવાડિયા પહેલા પણ દિલ્હીમાં ભૂકંપ આવ્યો હતો.

મળતી માહિતી મુજબ દિલ્હી-NCR અને ઉત્તરાખંડમાં આજે ભૂકંપની તીવ્રતા 5.4 માપવામાં આવી છે. ભૂકંપના આ આંચકા સવારે 7.57 કલાકે આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:ગુજરાત હાઈકોર્ટે હટાવ્યો હાર્દિક પટેલ પરનો આ પ્રતિબંધ, હવે આ જિલ્લામાં પણ કરી શકશે પ્રચાર

આ પણ વાંચો:ગુજરાત કોંગ્રેસનો AAP નેતા પર ટિકિટના બદલામાં મહિલાઓને બ્લેકમેલ કરવાનો આરોપ, સામે આવી આ સફાઈ

આ પણ વાંચો:ગુજરાતમાં એક સાથે 150 જગ્યાએ દરોડા, રાજ્ય ATS અને GSTનું સંયુક્ત ઓપરેશન