પુણે એરપોર્ટ પર એર ઈન્ડિયાનું વિમાન ટ્રેક્ટર સાથે અથડાયું હતું. જ્યારે આ અકસ્માત થયો ત્યારે વિમાનમાં 180 મુસાફરો સવાર હતા. સારી વાત એ છે કે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી અને તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. મળતી માહિતી મુજબ, આ ઘટના ગુરુવારે (16 મે) એ સમયે બની જ્યારે પ્લેન પૂણેથી દિલ્હી માટે ટેકઓફ થવાનું હતું. ત્યારબાદ પ્લેન રનવે પર ટ્રેક્ટર સાથે અથડાયું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર, પ્લેનમાં લગભગ 180 મુસાફરો સવાર હતા.
ટ્રેક્ટર સાથે અથડાવાને કારણે એરક્રાફ્ટનો આગળનો ભાગ, એક પાંખ અને લેન્ડિંગ ગિયર પાસેનું ટાયર ક્ષતિગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂ મેમ્બર સુરક્ષિત હોવાનું કહેવાય છે. મળતી માહિતી અનુસાર, આ ઘટના ત્યારે બની જ્યારે એર ઈન્ડિયાની AI-858 ફ્લાઈટ ગુરુવારે સાંજે 4 વાગે પુણેથી ઉડાન ભરવાની તૈયારી કરી રહી હતી. વિમાનને નુકસાન થવાને કારણે ફ્લાઇટ મોડી પડી હતી અને મુસાફરોને નીચે ઉતારવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ મામલાની તપાસ શરૂ કરી દીધી છે.તમને જણાવી દઈએ કે આ ઘટના ગયા શુક્રવારે આવી જ એક ઘટના બાદ બની હતી, જ્યારે પુણેમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માને લઈ જઈ રહેલા ચાર્ટર્ડ પ્લેન સાથે ઈન્ડિગોની સીડી અથડાઈ હતી.
આ પણ વાંચો:રાહુલ ગાંધી પાંચમા તબક્કા માટે આજે રાયબરેલી અને અમેઠીમાં કરશે ચૂંટણી પ્રચાર
આ પણ વાંચો:ભારતીય બ્રાન્ડ MDH અને એવરેસ્ટના મસાલા પર વધુ એક દેશે મૂક્યો પ્રતિબંધ