અમદાવાદ
અમદાવાદ શહેરમાં વકરતી જતી ટ્રાફીકની સમસ્ચાને લીધે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં રોડ રસ્તા પર ધંધો કરતા લારીગલ્લા અને પાથરણાવાળાને ઉઠાવી લઇ તેમનો ધંધો બંધ કરાવ્યો હતો.
અમદાવાદમાં પાર્કિંગ અને દબાણ હટાવો જુંબેશ મામલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્પોરેશને જવાબ રજૂ કર્યો છે કે કોર્પોરેશન પબ્લિક ટ્રાન્સપોર્ટ સેવા વધુ મજબૂત બનાવશે.
જેના માટે અમદાવાદ શહરેરમાં 48 નવા પાર્કિંગના સ્થળની જગ્યા નક્કી કરાઇ છે. હાઇકોર્ટે ટકોર કરી છે કે વધતા અકસ્માત અને ટ્રાફિકની સમસ્યાનો હલ લાવવા બીઆરટીએસના ચાલકોને ટ્રેનિંગ આપવી જોઇએ.
https://api.mantavyanews.in/traffic-problems-in-ahmedabad/
ઈમારતોમાં પાર્કિંગની સ્પેસ માટે કામીગીરી કરવા પણ હાઇકોર્ટે આદેશ કર્યો છે. સાથે જ અગાઉના બાંધકામના દબાણો પર યોગ્ય પગલા લેવા હાઇકોર્ટે કહ્યુ છે. સાથે જ લારી ગલ્લાવાળાઓ માટે પણ જગ્યા અપાય અને ગલ્લાવાળાઓને નુકસાન ન થાય તે માટે ધ્યાન આપવાનો આદેશ કર્યા છે.