Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બપોરે સુરેન્દ્રનગરથી રાજ્યવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૪નો પ્રારંભ કરાવવાના છે.
મુખ્યમંત્રી તેમના આ કાર્યક્રમને કારણે સોમવારે બપોર બાદ ગાંધીનગરમાં સામાન્ય નાગરિકો, જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓને મુલાકાત માટે મળી શકશે નહીં.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવાર તા. ૫ માર્ચના દિવસે કચ્છ જિલ્લામાં વિવિધ લોકાર્પણ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થશે.
મુખ્યમંત્રી તેમના આ પૂર્વનિર્ધારીત રોકાણોને કારણે આવતીકાલ, મંગળવાર તા. ૫ માર્ચ ૨૦૨૪ના દિવસે ગાંધીનગર ખાતે નાગરિકો, લોકપ્રતિનિધિઓ, પદાધિકારીઓને મુલાકાત માટે ઉપલબ્ધ થઈ શકશે નહીં.
આ પણ વાંચોઃમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે AMC દ્વારા સૌ પ્રથમ વખત આયોજિત ‘બોનસાઇ શો’ ને ખુલ્લો મૂક્યો
આ પણ વાંચોઃનીતા અંબાણીએ પુત્ર અનંતના પ્રિ-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર રજૂઆત કરી
આ પણ વાંચોઃ ગૃહમાં વોટના બદલે નોટ લેનારા સાંસદો, ધારાસભ્યોને કાયદાકીય સંરક્ષણ નહીં