નશાની સમસ્યા સામે લડી રહેલા પંજાબને છુટકારો આપવા માટે કેપ્ટન અમરિન્દર સિંહની સરકારે બધા સરકારી કર્મચારીઓને ડોપ ટેસ્ટ અનિવાર્ય કર્યો છે. પરંતુ એમની જ પાર્ટી ના એમએલએ ડોપ ટેસ્ટમાં ફેલ થઇ ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ કરતારપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સુરિન્દર સિંહ ચૌધરીનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. એમના યુરિન સેમ્પલમાં નશીલી દવા બેંજોડાઇજેપીનના અંશ મળી આવ્યા હતા.
આ નશીલી દવા ડિપ્રેશન અને ઊંઘની બીમારીથી લડી રહેલા લોકો ઉપયોગમાં લેતા હોય છે. જયારે એમએલએનું કહેવાનું છે કે એમણે માઈન્ડ રિલેક્સ કરતી દવા લીધી છે. એમની પાસે ડોક્ટરનું પ્રિસ્ક્રિપશન પણ છે.
જણાવી દઈએ કે આ પહેલી વખત છે જયારે કોઈ નેતાનો ડોપ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોય. આ પહેલા એમએલએ બાવા હેનરી, રાજીન્દર બેરી, સાંસદ ચૌધરી સંતોખ સિંહ, વિપક્ષના નેતા સુખપાલ સિંહ ખેહરા ડોપ ટેસ્ટ કરાવી ચુક્યા છે.
મહત્વનું છે કે મુખ્યમંત્રી અમરિન્દર સિંહે ડ્રગ તસ્કરી કરવા માટે મોતની સજાનું પ્રાવધાનની માંગણી કરવાનો ફેંસલોઃ લેવામાં આવ્યો હતો. જે હેઠળ પંજાબમાં 3.5 લાખ કર્મચારીઓના ડોપ ટેસ્ટ થશે. આ નિયમ બાદ હવે નેતાઓમાં પણ ડોપ ટેસ્ટ કરાવવા માટે હોડ લાગી છે.